કાનપરી બાપૂની વીરતાની વાત

કાનપરી બાપૂ મૂ.બળધોઈ, જી. રાજકોટ

॥ સિંધ માથી સૂમરો હાલ્યો હૈયા મા હતી હામ
બળધોઈ મા બાવો કોપ્યો માર્યો મામદ જામ ॥

મિત્રો આ નાની ખાંભી કાનપરી બાપૂ ની છે જે હાલ બળધોઈ ના દરબાર ગઢ મા છે. આ વાત સોરઠના બહારવટીયા વાલો નામેરી સાથે બનેલી છે. મિત્રો આ જગ્યાએ ઘણા જૂના અવશેષ પણ જોવા મળે છે. હાલમાં પણ દરવાજા પર બંધુકની ગોળીઓના નીશાન જોવાં મળે છે જે મે પણ રૂબરૂ ગયો હતો ત્યારે જોયેલ છે..

વાલા નામોરીનો જમણો હાથ ગણાતો અને અંગ્રેજોની જેલ તોડીને ભાગેલા કુખ્યાત જાન મામદને એક દિવસ સંદેશો મળ્યો કે બળધોઇ હાથીયાવાળાના ગઢમાં ત્રણ હજાર રૂપિયાની કોથળી તૈયાર ટપે પડી છે. આ સાંભળી મામદ તૈયાર થયો આકડે મધનું પોડુ ટીંગાઈ છે, પણ મામદ જામ જાવા જેવું નથીં અમંગળ લાગે છે, મન માનતું નથી. હવે મૂંગો મર.. મામદ જામે બળધોઇ તરફ સાંજ ટાણે વાર વેહતી કરી. ખળામાં ત્રાટકી લુંટ કરી બધાંને બંદી બનાવી કેદ કર્યા. ગામમાં જઇ બે ભડાકા કર્યા ત્યાં હાથીયાવાળા મુંઝાણા કાઠીયાણી હવે શું કરૂં? કાઠીયાણી સામે ઊભાં હતાં. શું કરૂં કેમ ઘરમાં બેસી જાવ મારાં લુગડા પેરીને બહારવટીયા ને કેહશુ કે દરબારને બે ઘર છે. દરબાર અરરર ઝાંખા પડી ગયા ત્યારે પુછતાં શરમાતા નથીં અટાણે પુછવાનો સમો છે કે લેખે ચડવાનો..

દરબાર દોડીને પોતાનાં ત્રીસ બંધુકદારો સાથે હાથીયાવાળો મેડીયે ચડ્યા અને બહારવટીયે બજાર કબ્જે કરી લીધી. દરબારી માણસોએ મેડીયેથી ભડાકા કર્યા ગામ ધુમાડે ઢંકાઇ ગયું પણ બહારવટીયા દરબારગઢની દિવાલ ઠેકીને અંદર ઉતાર્યા. જોયું તો ઓરડે ઓરડે તાળા મારી દીધા છે. બહારવટીયે હાંકલ કરી એ કાઠી લાવ ચાવી નકર હમણાં જાન જાસે. હાથીયાવાળાએ ચાવીઓ ઘા કરી પહેલો ઓરડો ઊઘાડયો. અંદર દરબારગઢની ને ગામની દિકરીઓ બહારવટીયા ના ડરથી અંદર લંપાઇને બેઠી હતી. તરત દરવાજો બંધ કરી નાખો બીજો ખોલી જોયું. અંદર પટારા. ઘંટીના પડ લઇ પટારો તોડવા લાગ્યાં. હા લૂંટો બેલીઓ, લૂંટો મારાં ભાઇઓ એમ પટકારો કરતો જામ ફળીમા ઊભો છે.

ત્યાંતો સાઢીયાની કાઠાની ઓથે કાનપરી નામે બાવો છુપાઇને બેઠો છે એને રોમે રોમમાં શુરાતન વ્યાપી ગયું. પોતાની પાસે જ કાઠી દરબારો જેનાં ઊપર થાળી રાખીને જમે છે તે પડધી નામની પીતળની નાની બેઠક પડેલી તે કાનપરીએ ઊપાડી. જે ગીરનારી કહીં બાવાએ પીતળની પડધી નો કારમો ઘા કર્યો. એ ઘા બરોબર મામદના માથાં પર પડ્યો ને ફટાક દઇ મામદની ખોપરી ફાટી ગઈ. આંખનુ રતન પણ ફોડી નાખ્યું. અરે તારી જાતનો કહીં ધાયલ થયેલો મામદ પાછો ફર્યો ને બાવાના શરીર પર ગોળીઓ ચલાવી. ઓગણીસ ઓગણીસ છરાએ બાવાના શરીરને વિંધી ન્હાય ધોઇ ધ્રૌપટ નીકળી ગઈ તોય બાવાએ દોડીને મામદની તલવાર ખેંચીને તેનાં જમણાં ખંભા ઊપર જે ગીરનારી કહીં ઝીંકી. પણ ઝીંકતા તલવાર ઠેઠ સાજ સુધી ઊતરી ગઈ શત્રુને મારીને પછી બાવો પડયો. મરતી વેળાં ભારે રૂડો લાગ્યો..

લોટની ત્રાબડી ફેરવનાર આ માણસજાતના માનવીએ એ ટાણે કોણ જાણે કોણે આટલું કૌવત અને આટલી હિમ્મત આપ્યાં. આગળ એણે કદી તલવાર બાંધી ન્હોતી, ધીંગાણું કદી દિઠું નોહતું નક્કી માણસને છાબડે હરી આવે છે. (સોરઠી બહારવટિયા )

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!