Tag: ઝવેરચંદ મેઘાણી

14. પૂજારીનું માનસ – રા’ ગંગાજળિયો

“મેદની વિખરાયા પછી રા’એ મંદિરના મુખ્ય પુરોહિત સાથે એકાંતે મેળાપ કર્યો. પુરોહિત કનોજિયા બ્રાહ્મણ હતા. એમની અટક ગૌડ હતી. રાજા કુમારપાળના કાળમાં જે વિહસપત્તી ગૌડ હતા તેમના વંશજ થતા …

13. અનાદર – રા’ ગંગાજળિયો

“એકાએક વીણા, સતાર અને સારંગી સુંદરીના ઝંકાર બોલ્યાં. મૃદંગો પર ધીરી થપાટો પડી. અને ભીલ બાળક જાણે એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં સરી પડ્યો. એના કાને કોયલકંઠી ઘૂઘરીઓના ધમકાર પડયા; …

12. સોમનાથના મંદિરમાં – રા’ ગંગાજળિયો

“ઉપલો બનાવ બની ગયાંને પચીશેક વર્ષ વીત્યાં છે. દાતાર ડુંગરાની તળેટીમાં આવેલી મઢીમાંથી છાનોમાનો એક મ્યાનો નીચે ઊતરે છે. મ્યાનામાં બેઠેલા એક બિમાર આદમીને એક જૈફ દરવેશ વિદાયનો બોલ …

11. આઈ નાગબાઈ – રા’ ગંગાજળિયો

ફરી એક વાર આપણે આ વાર્તાના કાળથી ત્રીશ ચાલીશ વર્ષ પહેલાંની વેળામાં ડોકીયું કરી આવીએ. જૂનાગઢ તાબાના પ્રદેશમાં બીજો એક ઉજ્જડ ટીંબો આજે પણ પડ્યો છે. એને પાટ ખિલોરીનો …

10. તીર્થના બ્રાહ્મણો – રા’ ગંગાજળિયો

ગુપ્ત પ્રયાગના ત્રિવેણી-તીરે સ્નાન કરતા ને શિવ-પૂજા કરતા બ્રાહ્મણો વાતોએ ચડ્યા હતા. ‘સાંભળ્યું ને? વીજલજીનાં રગતપીત રા’એ કાઢ્યાં.’ ‘ચારણ્યનો શરાપેલ ખરોને, એટલે કાઢી શકાય. બામણનો શરાપ કાઢે જોઉં રા’ …

9. ઝેરનો કટોરો – રા’ ગંગાજળિયો

ગુજરાતના પાટનગર પાટણમાં તે સમયે કૈં કૈં બનાવો બની ચૂક્યા હતા, બનતા હતા, બનવાના પણ હતા. હરીફ મુસ્લિમ રાજવંશીઓની આપસઆપસની જાદવાસ્થળીએ દિલ્હીની શહેનશાહતને નધણીઆતી કરી મૂકી હતી. ગુજરાતના સૂબા …

8. દુદાજીની ડેલીએ – રા’ ગંગાજળિયો

દુદાજી ગોહિલના દરબારમાં એ પ્રભાતે કસૂંબાની કટોરીઓ ભરાતી હતી. પંચાવન વર્ષની જેની ઉમ્મર ટેવી શકાય તે ઠાકોર દુદાજીની દાઢી મૂછો આભલાં-જડિત બુકાનીમાં ઝકડેલી હતી. બીજા તમામનાં માથાં પર મોળિયાં …

7. ઓળખીને કાઢ્યો – રા’ ગંગાજળિયો

“આજે જ્યાં લાઠી નામનું ગોહિલ-નગર છે, તેની નજીક એક ટીંબો છે. એને લોકો ‘હાથીલાનો ટીંબો’ નામે ઓળખે છે. પુરાતની માનવીઓ, માલધારીઓ અને વટેમાર્ગુઓ અસૂરી વેળાએ જ્યારે એની વાત કરતા, …

6. ગંગાજળિયો – રા’ ગંગાજળિયો

સવાર હજી પૂરૂં પડ્યું નથી. હમેંશા પ્રભાતે ઠેઠ કાશીથી આવનારી ગંગાજળની કાવડની રાહ જોતો રા’માંડળીક સ્નાન વિહોણો બેઠો છે. કોઇ કહે છે કે છેક કાશીથી જૂનાગઢ સુધી રોજેરોજ રા’ …

5. માંડળિકનું મનોરાજ્ય – રા’ ગંગાજળિયો

“ગિરનારની આસપાસ રાસમંડળ રમતી હોય એવી ડુંગરમાળામાંથી આજે જેને દાતારનો ડુંગર કહેવામાં આવે છે તેની તળેટીમાં એક જુવાન પુરુષ એક બુઢ્ઢા આદમીથી જુદો પડતો હતો. અજવાળી સાતમનો ચંદ્રમા એ …
error: Content is protected !!