સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

ચંદ્ર ટરે સુરજ ટરે , ટરે જગત વ્યવહાર |
પૈ દ્રઢવત હરિશ્ચન્દ્ર કો ,ટરે ન સત્ય વિચાર ||

સત્યની ચર્ચા જયારે અને જ્યાં પણ થતી હશે. ત્યાં મહારાજા હરિશ્ચન્દ્ર નું નામ જરૂર લેવામાં આવશે. હરિશ્ચન્દ્ર ઈશ્ચાકુ વંશના પ્રસિદ્ધ રાજા હતાં. એવું કહેવાય છે કે સપનામાં પણ એ જે વાત કહેતાં હતાં એનું પાલન એ નિશ્ચિત રૂપે કરતાં હતાં. એમનાં રાજ્યમાં સુખ અને શાંતિ હતી. એમની પત્નીનું નામ તારામતી અને પુત્રનું નામ રોહિત હતું.  સારાં જગતમાં રાજા હરિશ્ચન્દ્ર અને તારામતીની ચર્ચા થતી હતી. એકવાર મહર્ષિ વિશ્વામિત્રે એમનાં સત્યની પરિક્ષા લેવાનો નિર્ણય કર્યો !!!!

પ્રતાપી રાજા ———-

ભારતની ભૂમિ પર અનેક પ્રતાપી મહાપ્રતાપી રાજાઓએ જન્મ લીધો છે. જેમણે પોતાના વિશિષ્ટ ગુણો વડે પોતાનું નામ ઇતિહાસના ગ્રંથોમાં સુવર્ણ અક્ષરોથી એમનું નામ લખાયું છે. એમાંથી કેટલાંક એવા છે જેમનો આપણા પૌરાણિક ઈતિહાસ સાથે બહુજ ગહેરો સંબંધ છે. આવાં જ એક પ્રતાપી રાજાઓમાં એક છે સૂર્યવંશી સત્યવ્રતના પુત્ર રાજા હરિશ્ચંદ્ર. જેમને આપણે એમની સત્યનિષ્ઠા અને કર્તવ્ય પરાયણતા માટે આજે પણ યાદ કરીએ છીએ !!!!

સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર ———

રાજા હરિશ્ચન્દ્ર કોઈપણ સંજોગોમાં કેવળ સત્યનો જ સાથ આપતાં હતાં. પોતાની આ નિષ્ઠાને કારણે કઈ કેટલીયે વાર એમને મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, છતાં પણ તેમણે ક્યારેય સત્યનો સાથ છોડ્યો નહોતો !!! તેઓ એક વાર જે પ્રણલેતાં એને કોઈપણ રીતે પૂરું કરીને જ સંતોષ લેતાં !!!!

પુત્રનું મૃત્યુ ———-

પણ એકવાર રાજા હરિશ્ચન્દ્ર સત્યનો સાથ આપવાં માં કોક ભૂલ થઈ ગઈ. જેનું પરિણામ એમનાં પુત્ર રોહિતે પોતાનો જીવ આપી દઈને ચુકવવું પડ્યું !!!

પુત્ર વિહીનતા ———–

વાસ્તવમાં રાજા હરિશ્ચન્દ્ર ઘણા વખત સુધી પુત્રવિહીન હતાં.
પોતાના ગુરુ વસિષ્ઠના કહેવાથી એમણે વરુણદેવની કઠોર ઉપાસના કરી. વરુણદેવ એમનાં તપથી પ્રસન્ન થયાં અને એમને પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું. પણ એના માટે એક શરત પણ રાખી હતી કે એમને યજ્ઞમાં પોતાનાં પુત્રની બલિ આપવી પડશે

પુત્રની બલિ ——-

પહેલાં તો રાજા હરિશ્ચંદ્રે આ વાત પર પોતાની નારાજગી દર્શાવી. પરંતુ પુત્ર રોહિતના જન્મ પછી એ એના મોહના બંધનમાં બંધાઈ ગયાં. એવાં બંધાઈ ગયાં કે એ એમણે આપેલું વચન સદંતર ભૂલી જ ગયાં

વરુણદેવ કંઈ કેેટલીય વાર પુત્રનો બલિ લેવાં આવ્યાં પણ દર વખતે રાજા હરિશ્ચન્દ્ર પોતાની પ્રતિજ્ઞા પૂરી ના કરી શક્યાં !!!

પુત્ર મોહ ———–

પુત્ર મોહના કારણે પોતાની પ્રતિજ્ઞાનું પાલન ના કરી શકવાને કારણે રાજા હરિશ્ચંદ્રે પોતાનું સર્વસ્વ ગુમાવવું પડ્યું. જેમાં રાજ -પાટની સાથે સાથે એમની પત્ની અને પુત્ર પણ સામેલ હતો

રોચક ઘટના ———–

રજા હરિશ્ચંદ્રના જીવનની એક બેહદ રોચક ઘટનાનું વર્ણન કરવું અહી મને જરૂરી લાગે છે. જેનો સંબંધ આજ એકાદશી સાથે જોડાયેલો છે ………

રાજાનું સ્વપ્ન  ————-

એકવાર રાજા હરિશ્ચંદ્રે સ્વપ્નું જોયું કે ——
એમને પોતાનું રાજય અને બધું સુખ મહર્ષિ વિશ્વામિત્રને આપી દીધું છે. બીજે દિવસે જયારે વિશ્વામિત્ર એમનાં મહેલમાં આવ્યાં તો, રાજા હરિશ્ચંદ્રે એમને આ સપનાની પૂરી વાત કરી અને સાથો સાથ એમને પોતાનું રાજ્ય અને સર્વસ્વ સોંપી દીધું !!!!!

વિશ્વામિત્રની માંગ ———–

જતાં જતાં મહર્ષિ વિશ્વામિત્રે પાંચસો સુવર્ણ મુદ્રાઓ દાનમાં માંગી. રાજા હરિશ્ચંદ્રે કહ્યું ——
“પાંચસો સુન કામ ……..તમે જેટલી જોઈએ તેટલી સુવર્ણમુદ્રાઓ લઇ શકો છો !!!!”
આના પર વિશ્વામિત્ર હસ્યાં અને એમને યાદ અપાવ્યુ કે —–
” રાજ્યની સાથોસાથ તમે રાજ્યનો કોષ પણ દાન કરી દીધો છે. દાન કરેલી કોઈપણ વસ્તુ ફરીથી દાનમાં ના આપી શકાય !!!!”

બધું જ વેચાઈ ગયું ———

જયારે રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચીને સુવર્ણ મહોરો હાંસલ કરી. પરંતુ એ પણ પૂરી પાંચસો ના થઇ શકી, તો રાજા હરિશ્ચંદ્રે પોતાની જાતને જ વેચી નાંખી અને એ સુવર્ણમુદ્રાઓ વિશ્વામિત્રને દાનમાં આપી !!!!

સ્મશાનની નોકરી ———–

રાજા હરિશ્ચંદ્રે પોતાની જાતને જ્યાં વેચી હતી એ સ્મશાનનો ચંડાળ હતો. જે બાળવા માટે આવેલા મૃતકોના પરિવારજનો થી લઈને એમનાં અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય કરતો હતો. એ ચંડાલે પોતાનું કામ રાજા હરિશ્ચંદ્રને સોંપી દીધું !!!! રાજા હરિશ્ચંદ્રનું કાર્ય હતું જે પણ વ્યક્તિ શબ લઈને એના અંતિમસંસ્કાર માટે આવે એની પાસેથી કર વસૂલ કર્યા પછી જ અંતિમ સંસ્કારની ઈજાજત આપવામાં આવે.

Raja Hasishchandra

કર્તવ્યનિષ્ઠા ———

રાજા હરિશ્ચંદ્રે આને જ પોતાનું કાર્ય સમજી લીધું હતું અને પુરતી નિષ્ઠાથી એ પોતાનું કાર્ય કરતાં હતાં. એક દિવસ એવો પણ આવ્યો જયારે રાજા હરિશ્ચંદ્રે જીવનના સૌથી મોટાં દુઃખનો સામનો કરવો પડયો

એકાદશીનું વ્રત ——–

એ દિવસે રાજા હરિશ્ચંદ્રે એકાદશીનું વ્રત રાખ્યું હતું. અર્ધ રાત્રીનો સમય હતો અને રાજા સ્મશાનના દ્વાર પર પહેરો ભરી રહ્યા હતાં. બહુજ અંધારું હતું. એમાં એક લાચાર અને નિર્ધન સ્ત્રી ચીખતી ચિલ્લાતી ત્યાં આવી. એનાં હાથમાં એનાં પુત્રનું શબ હતું ……

પુત્રનો શોક ————-

એ સ્ત્રી એટલી નિર્ધન હતી કે એને પોતાની સાડી ફાડીને એ વસ્ત્રથી પોતાના પુત્ર માટે કફન તૈયાર કર્યું હતું. રાજા હરિશ્ચંદ્રે એની પાસે પણ કર માંગ્યો. પણ કરની વાત સાંભળી એ સ્ત્રી રડવાં લાગી એને રાજા હરિશ્ચંદ્રને કહ્યું કે એની પાસે બિલકુલ ધન નથી !!!

સ્ત્રીનો ચહેરો ———

જેવી આકાશમાં વીજળી ચમકી તો એ વીજળીની રોશનીમાં હરિશ્ચંદ્રે એ અબલા સ્ત્રીનો ચહેરો નજરે પડયો. એ એની પત્ની તારામતી હતી અને એનાં હાથમાં એનો જ પુત્ર રોહીત હતો. રોહીતનું સાપ કરડવાથી મૃત્યુ થયું હતું.

ભાવુકતા ———

પોતાની પત્નીની આ દશા અને પુત્રનું શબ જોઇને રાજા હરિશ્ચંદ્ર બહુજ ભાવુક થઇ ગયો. એ દીવસે એને એકાદશીનું વ્રત પણ હતું અને પોતાના પરિવારની આ દશા જોઇને એ અંદરથી હચમચી ગયો. એની આંખો માં આંસુ ભરાઈ આવ્યાં
તેમ છતાં પણ એ પોતાની કર્તવ્યની રક્ષા માટે આતુર હતો !!!!!

સત્યની રક્ષા ———-

ભારે મનથી એમણેપોતાની પત્નીને કહ્યું કે ——-
” જે સત્યની રક્ષા માટે એમણેપોતા નાં મહેલ , રાજ-પાટ નો ત્યાગ કર્યો હતો અને પોતાનાં પરિવારને વેચ્યો હતો આજે પણ હું એ સત્યની જ રક્ષા કરીશ ………!!!”

 કરની માંગણી ——–

રાજાએ કહ્યું કે —– ” કર લીધા વિના હું તને અંદર પ્રવેશ નહીં આપું !!!!” આ સંભાળીને પણ રાણી તારમતીએ પોતાની ધીરજ ના ખોઈ અને પોતાની સાડીને ફાડીને એક ટુકડો એમને કરરૂપે આપી દીધો !!!!!

અમરતાનું વરદાન ———–

એજ સમયે સ્વયં ઈશ્વર પ્રગટ થયાં અને એમણે રાજાને કહ્યું ——” હરિશ્ચંદ્ર તમે તો સત્યને જીવનમાં ધારણ કરવાનો ઉચ્ચતમ આદર્શ સ્થાપિત કર્યો છે. તમારી કર્તવ્યનિષ્ઠા મહાન છે …….. તમે ઇતિહાસમાં સદાય અમર રહેશો !!!!”

પાછું મળ્યું રાજપાટ ———

હરિશ્ચંદ્રે ઈશ્વરને કહ્યું ——- ” જો સાચેજ મારી કર્તવ્યનિષ્ઠા અને સત્ય પ્રતિ સમર્પણ હોય તો કૃપયા આ સ્ત્રીના પુત્રને જીવનદાન આપો ……!!!” એટલામાં જ રોહિતશ્વ જીવિત થઇ ગયો …… ઈશ્વરની અનુમતિથી વિશ્વામિત્રે પણ હરીશચંદ્રને એમનાં રાજપાટ પાછાં આપી દીધાં !!!!

? સત્યની પરીક્ષા જરૂર થાય છે, પણ અંતે તો ઈશ્વરની મદદથી સત્યની જ જીત થાય છે !!!

——— જનમેજય અધ્વર્યુ

જો તમે આવાજ અન્ય વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વીર નાથાભગત મોઢવાડીયા

– વીર યોદ્ધા- પૃથ્વીરાજ ચૌહાણ

– ભારતના વીર- મહારાણા પ્રતાપ

– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

– વીર યોધ્ધા હમીરજી ગોહિલ

– છત્રપતિ શિવાજી મહારાજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.

error: Content is protected !!