શ્રી ઉમિયા માતાજી મંદિર ઉંઝાનો ઈતિહાસ

ભાટ અને વહીવંચા એવી વાતો કરે છે કે……..
પ્રાચીનકાળમા ભગવાન ભોળા મહાદેવે સ્વહસ્તે પોતાના પટરાણી દેવી શ્રી ઉમિયાજીની સ્થાપના કરી હતી ત્યારથી તે સ્થાન ઉમિયાપુરીના નામથી ઓળખાતુ હતુ. સમયના વહેણની સાથે ધીમે ધીમે આ નામનો અપભ્રંશ થયો હશે અને તેને ઉઝા કહેવામા આવ્યુ હશે.

બીજો આધારવાળો લેખ એ છે કે……..

ઇ.સ.૧૫૬-સંવત ૨૧૨ મા દેસાઈ પટેલોના પૂર્વજ વ્રજપાલજી માધાવતીના રાજવી હતા. તેઓ તેમનુ રાજ્ય હારી ચુક્યા હતા.શ્રી સ્થળમા(સિધ્ધપુર) તેઓ માતૃગયા કરવા આવ્યા હતા. ત્યાથી પાછા ફરતા કુર્મિ ભાઈઓ મળ્યાને રોકાઈ જવાનો આગ્રહ કર્યો. પોતે આગ્રહવશ થયી બધા ભાઈઓને ત્યા વસાવી ઉમિયા માતાજીની સ્થાપના કરી.

એકવાત એવી પણ કહેવાય છે કે…..

રાજા વ્રજપાલજી પોતે અનેકવાર જીત્યા પછી પોતાનુ રાજ હારી ચુક્યા હતા. ત્યારે તેમના કુળમાતા હરસિધ્ધ માતાને કંઈક રસ્તો બતાવવા વિનવણી કરી. ત્યારે માતાજીએ તેમને તેમના સ્વ.માતૃશ્રીનુ તર્પણ કરવા સિધ્ધપુર જવા આદેશ કર્યો. તે સમયના ધારા ધોરણ મુજબ જે તે રાજ્યની હદમાથી પસાર થવા જે તે રાજ્યની મંજુરી લેવી પડતી હતી.આમ આ બધા સંજોગોને રાજ્યમા આવતા અનેક રજવાડાની સરહદો ધ્યાને લયી તેમણે માતાજીને સાથે આવવા નમ્ર વિનંતી કરી.માતાજી તૈયાર થયા તેમણે એક શરત મુકી કે હુ તારી પાછળ પાછળ આવીશ તારે મારામા શંકા કરી પાછળ જોવાનુ નહી. જો આમ થશે તો ત્યાથી આગળ હુ તારી સાથે આવીશ નહી.રાજન મારા ઝાંઝરનો અવાજ મારા તારી સાથે હોવાના એધાણ હશે.આમ કરતા કરતા અનેક રાજ્યોની સરહદો પાર કરી રસાલો હાલના લાડોલ ગામે પહોચ્યો ત્યા માના ઝાઝરનો રણકાટ રાજનને સંભળાતો બંધ થયોને માતા છે કે નહી તે જાણવા પાછા ફરી નજર કરી.માતાએ કહ્યુ બેટા તુ શરત ચુક્યો છે.હુ અહી જ મારો મુકામ કરીશ.હવે સિધ્ધપુર ઝાઝુ દુર નથી આગળ જાવને માતૃશ્રીનુ સુપેરે તર્પણ કરજે.

આમ રાજન નિરાશ થયા માતાજીનો આદેશ માની સિધ્ધપુર જયી ત્યા સારી રીતે તર્પણવિધી કરાવીને પરત ફરતા હાલ જે જગાએ ઉંઝા છે ત્યા એક ટેકરા પર રાત્રી રોકાણ કરેલ.પૂનમની રાત હતી. ચંદ્રમાનુ અજવાળુ પથરાયેલ હતુ.રાજનને માતાજી વિના ભારે દુ:ખ હતુ. તેમને ચેન નહોતુ રાતના તે આટાફેરા કરી રાત કાપતા હતા ત્યા માતાજી માયારૂપે ઉમિયા સ્વરૂપે પ્રગટ થયા તેમને દર્શન આપ્યા.ત્યા માતાની સ્થાપના કરી ગામ વસાવવા આદેશ કર્યાને ફરી પાછુ ઉંઝા વસ્યુને માતાજીની સ્થાપના થયી. સઘળા કૂર્મિઓને વસાવ્યા.

આમ આ અલગ અલગ વાર્તાઓ મંદિરની છે.

હવે વાત કરીશુ આગળના સચોટને વાસ્તવિક ઇતિહાસ આપણા કૂળદેવી માતાજીના મંદિરનો..

વ્રજપાલજીએ સ્થાપેલ મંદિરની શી સ્થિતી હતી તે વિશે વધારે જાણવામા આવતુ નથી. મોટા ઘરે માતાજીના બેસણા હતા. આસપાસ વસતા કૂર્મિઓ અવાર નવાર માતાજીના દર્શને આવતા હતા.માતાજીને કૂળદેવી માની પૂજા, બાધા, અર્ચન, નૈવેધ, વગેરે કરવા આવતા હતા. તેઓના પુરોહિત નાગર ગોર માતાજીની પૂજા કરતા. જ્ઞાતિબંધૂઓનો તેમના પ્રત્યે ઘણો પૂજ્યભાવ હતો. તે નાગર દ્વારા ચાપરાજે આપણી લગ્ન પધ્ધતિમા ફેરફાર કરાવ્યો તેવુ સાંભળવા મળે છે. કૂર્મિઓને આ પ્રદેશ છોડી બીજે જતા રોકવા બંધુકા લગ્નની પ્રથા માતાજીના નામને અને મરજીને આગળ કરી અમલી કરાવી.અને લગ્ન કરવાનુ સ્થળ ઈમિયા માતાજીનુ મંદિર બન્યુ.આમ માતાજીનો મહિમા વધવા લાગ્યો.

આમ અણહીલપુર પાટણના અમલ એટલે કે સંવત ૮૦૦- ઈ.સ.૭૪૬ થી સંવત ૧૩૫૩-ઇ.સ.૧૨૯૭ સુધી એટલે કે મુસલમાન રાજ અમલ થયો ત્યા સુધીના ગાળામા કૂર્મિઓની ચડતી હતી.આથી માતાજીના મંદિરની સ્થિતી પણ વખાણવા લાયક હતી.

ત્યાર પછી મૂસલમાન શાસકોના રાજમા કૂળદેવીનુ ધામ પણ જોખમાયુ કહેવાય છે. માતાજી મૂર્તિને છૂપાવવી પડી તેવો સમય પણ આવ્યો. પાછળથી તે મંદિર ઈટ ચુનાથી બનાવવામા આવ્યુ હતુ.તે છેક ૧૮૪૦-૧૮૫૦ સુધી રહ્યુ.

તે સમયે અંગ્રેજોનુ રાજ્ય આવ્યુ. પ્રદેશને દેશમા લુટારાઓનો ખાત્મો બોલાવાયો. સર્વત્ર શાંતિ પ્રવર્તી હતી.

આપણા કૂળદેવીની પણ યાત્રાઓ શરૂ થયી. જર્જરિત થયેલ મંદિરનો જીર્ણોધ્ધાર કરવાની સહુની ઈચ્છા હતી. જયા સુધી કોઈ આગળ થયી આવા કામો હાથ પર ન લે ત્યા સુધી કાઈ થતુ નથી.

કુળદેવીનુ મંદિર બનાવવાની વાતોને લાગણીએ ધીમે ધીમે જોર પકડ્યુ.પણ માતાજી મરજી એવી જ હશે આમ ઇ.સ ૧૮૬૦ સુધી આ વાતે કોઇ પ્રગતિ ન સધાઈ શકી….

આમ માતાજીએ અમદાવાદ રહેતા અને માતાજીના પરમ ભક્ત એવા શ્રી રામચંદ્ર મનસુખરામ નામના જ્ઞાતિબંધુને પ્રેરણા કરી.

શ્રી રામચંદ્રભાઈએ જ્ઞાતિબંધુઓની એક સભા બોલાવી.સભામા આખી જ્ઞાતિમાથી ઉઘરાણુ કરવા સર્વાનુમત્તે ઠરાવ થયો. તે મુજબ પાટડી, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, તે સમયના કડી પ્રાન્ત, દક્ષિણમા વરાડને ખાનદેશ, કાઠિયાવાડ અને જે જે ભાગોમા કણબીની વસ્તી તે ભાગોમા ઉઘરાણુ કર્યુને રૂ.એક લાખ માતાજીની અસીમ કૃપાથી એકઠા થયા.

તેમ થતા જ્ઞાતિના આગેવાનોએ મળી(ઇ.સ.૧૮૬૫) એક સરસ પત્થરનુ દેવળ બનાવવા ઠરાવ કર્યો. આ કામ શ્રી રામચંદ્રભાઈ અમદાવાદ વાળાને સોપ્યુ.

ઈંટ ચુનાના મંદિરની જગાએ પત્થરનુ નવુ મંદિર,ઈંટ ચુનાની ઘુમટવાળી ચોકીઓ, મંડપને નીચે ભોયરૂ એ તૈયાર થયા. પરંતુ કેટલુક કામ અપૂર્ણ રહી ગયુ.

રા.બ.લશ્કરી શેઠે તે પૂર્ણ કરવા અને નવુ બીજુ કામ કરવા ધારણા કરી હતી.આ હેતુ પાર પાડવા ના.ગાયકવાડ સરકાર કડી પ્રાન્તમા પધાર્યા ત્યારે તેમના ખાનગી કારભારી અને કડી પ્રાન્તના સુબા રા.બ. લક્ષમણરાવ જગન્નાથ દ્વારા નજીકનુ ઉમિયાધામ જોવાને. તથા અપૂર્ણ કામ પુર્ણ કરવા તથા એક ધર્મશાળા બાધવામા મદદ કરવા તેઓશ્રીને વિનંતી કરવામા આવી.તે મુજબ ગાયકવાડ ત્યા પધાર્યા.પણ ત્યા કોઈ આગળ પડતો જ્ઞાતિબંધુ ન હોવાથી નાણા સબંધી કોઈ વાત કરી નહી..પરંતુ તે સબંધે સુબા સાહેબનો રા.બ.બહેચરદાસ લશ્કરી પર પત્ર હતો જેમા લખ્યુ હતુ કે… જો તમે યોગ્ય રકમએકઠી કરશો તો શ્રીમંત ગાયકવાડ સરકાર પણ બહોળા હાથે મદદ કરશે.(ટાઈમ્સ ઓફ ઈન્ડિયાતા.૧૩-૧-૧૮૮૩)

આ પ્રમાણે પત્ર મળતા તા.૧૮-૧-૧૮૮૩ ના રોજ માતાજીના દેવળને પુરૂ કરવાને એક ધરમશાળા બનાવવા વિશે વિચાર કરવા મોટા મોટા બાસઠ ગામો પોતાને ત્યા તેડાવી એક અઠવાડિયા સુધી રાખ્યા અને યોગ્ય સરભરા કરી.તે ગામોના ૪૦૦ જેટલા પ્રતિનીધીઓ આવ્યા હતા.તેમને માતાજીના દેવળ અંગે,ધરમશાળા અંગે અને સુબાજીના પત્ર અંગે એમ સઘળા કામોની સમજણ પાડી કે તરત જ સહુએ મળી ત્યા જ રૂ.૫૨૮૬/ ભરી આપ્યા. ત્યાર પછી આ કામે પાટડીના નામદાર દરબારે રૂ.૧૦૦૧/ તથા રા.બ. બહેચરદાસ લશ્કરીએ રૂ.૧૦૦૦/ બીજા પરચુરણ દાતાઓના કુલ મળી રૂ.૨૦૦૪/ એટલે કુલ રૂ.૯૨૯૧/ થયા.

આ પ્રમાણે ભરાયેલી રકમ વિશે તથા નેક નામદાર તરફથી યોગ્ય રકમ મેળવવા લશ્કરી શેઠે રા.બ.સુબા લક્ષમણરાવને પત્ર લખ્યો (તા.૧૪-૧૦-૧૮૮૩) જેના જવાબમા તા.૪-૧૨-૧૮૮૩મા સુબા લક્ષમણરાવે નેક નામદાર ગાયકવાડ સરકારને લખાણ કર્યુ.અને નામદાર ગાયકવાડે તા ૨૬-૧૨-૧૮૮૩ના રોજ રૂ.૧૫૦૦/ રોકડા લશ્કરી શેઠને આપવા હુકમ કર્યોને આ રકમ લશ્કરી શેઠને મળી.

ઇ.સ.૧૮૮૪ના જાન્યુઆરીમા ૨૪મી તારીખે ઉઝા સ્વસ્થાને આગેવાનોની એક સભા મળી. તેમા આખા દેશમા જ્યા જ્યા કડવા કણબીઓ વસતા હોય ત્યાથી ઘર દીઠ એક રૂપિયો ઉઘરાવવા ઠરાવ કર્યો અને વિશ્વાસપાત્ર માણસો રાખી ઉઘરાણુ શરૂ કરાવ્યુ.

બીજી તરફ તા.૨૫-૧-૧૮૮૫ના દિવસે લશ્કરી શેઠે મકાનો અને ધરમશાળાના કામોના નમુના તથા ખરચનો આકડો રૂ.૧૩૦૫૧/ વગેરેના કાગળો મીટીગમા મુક્યા તે રીતે કામ પૂરૂ કરવા અને જરૂરી સુધારા વધારા કરવાની સત્તા લશ્કરી શેઠને આપતો ઠરાવ કર્યો.

જુદા જુદા ગામોનુ ઉઘરાણુ આવતા કુલ રૂ.૨૫,૦૬૮ થયા. તે વિશાળ ધરમશાળા પૂર્વ પશ્વિમ ૧૮૫ ફુટને ઉત્તરે ૧૬૦ ફુટને દક્ષિણે ૧૪૮ ફુટ હતી.તેમા કુલ ૬૧ વિભાગ છે.તે ખંડને મહેરદાર દરવાજા હતા. ભોયતળિયાની કિનારીમા સફેદ પત્થર વાપર્યા હતા.અને ધરમશાળા પર છોબંધ ધાબુ બનાવી ચોગરદમ ફરતી અગાસી કરી હતી. ધરમશાળાને ચારે બાજુ ઘુમટ રાખ્યા હતા.

ઉંઝાના પટેલ ત્રિકમદાસ બેચરદાસ રૂસાતે મંદિરની નજીક પોતાની જમીનનો ટુકડો મંદિરની બહાર ધરમશાળા બાધવા માટે વિના મૂલ્યે અર્પણ કરેલ છે.

ઇ.સ.૧૮૮૭મા મંદિર અને ધરમશાળા અને ઓરડીઓના કામો પુરા થતા મા ઉમા સ્વસ્થાન કમિટીના સભાસદો તેને ખુલ્લુ મુકવાની વીધિ કરવાના. ગાયકવાડ સરકારને આમંત્રિત કરવા ગયા. તેમણે પોતાના વતી કડી પ્રાન્તના સુબા સાહેબને વિધી કરવા હુકમ કર્યો.

આઠથી દસ હજાર કણબી અને અન્ય ભેગા થયાને તા.૬-૨-૧૮૮૭ ના દિવસે ઉદઘાટન વિધી થયી. ના.ગાયકવાડ સરકાર તરફથી ઉમિયામાતાજીને ઉત્તમ પોશાક ભેટ ધરાવવામા આવ્યો.

આ ઉપરાત આવા લોકહિતના કામોમા તન, મન અને ધનથી ભાગ લેવા માટે શેઠ શ્રી બેચરદાસ લશ્કરીને ગાયકવાડ સરકારશ્રી તરફથી સાલ,જોટોને પાઘડી ભેટ મળ્યા હતા.

મંદિર પર શિખર ચઢાવવાની ભેટ રૂ.૨૦૦૦/ શ્રીપા.નાગરદાસ ઉગરદાસ તથા કશળદાસ કિશોરદાસે આપ્યા હતા.

–પોપટભાઈ પટેલ,ઘેલડા…

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન

– શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા

– શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા

– શ્રી કરણી માતાજી નો સંપૂર્ણ ઇતિહાસ

– આઈ શ્રી પીઠડ માંની પ્રગટ્યા કથા

– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ

– શ્રી ચેહર માતાજીની પ્રાગટ્ય કથા

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!