★ મહારાણા કુંભા ★

✍️ મહારાજા કુંભકર્ણ (મહારાણા કુંભા) ✍️
જન્મ – ઈસવીસન ૧૪૧૭ (ઘણી બધી જગ્યાએ ઇસવીસન ૧૪૨૭ લખ્યું છે જે સાચું નથી ) મહારાણા મોકલ એ રાણા કુંભાના પિતા હતાં. કાકા,મેરા , ઇક્કા, મહપા પંવાર વગેરે ગદ્દારોએ મહારાણા મોકલની હત્યા કરી દીધી ……. આ વખતે કુંવર કુંભા બાળક હતો સૌભાગ્યદેવીએ મહારાણા કુમ્ભાની માતા હતી. એ પરમાર રાજા જયમલ સાંખલાની પુત્રી હતી. કેટલીક જગ્યાએ એમનું નામ માયા કંવર અથવા સુહાગદે પણ લખાયેલું છે

મહારાણા કુંભાના ઉપનામ —–
રાજ ગુરુ, તાત ગુરુ, ચાપ ગુરુ (તીરંદાજીના શિક્ષક), છાપ ગુરુ, હાલ ગુરુ, શૈલ ગુરુ (ભાલા શિક્ષક), પરમ ગુરુ, નાટકરાજન કર્તા, ધીમાન, રાણો રાસો, રાણે રાય, ગણપતિ, નરપતિ, આશ્વપતિ, અશ્વિથી, હિંદુ સુરત્રાણ, અભિનવ ભરતાચાર્ય (નવ્ય ભરત) નંદિકશેશ્વરાવતાર, રાજસ્થાનમાં સ્થાપત્યના પિતા

મહારાણા કુંભા દ્વારા રચિત ગ્રંથ /કૃતિઓ ——-
સંગીત મીમાંસા, ગીતગોવિંદ, સુડપ્રબંધ, કામરાજ રાતેસાર, સંગીતરાજ, રસિકપ્રિયા, એકલિંગ મહાકાવ્યનો પ્રથમ ભાગ (કુલ ૧૦-૧૨ ગ્રંથો)

મહારાણા કુંભાનો રાજ્યાશ્રિત એવમ વિદ્વાન મંત્રી હતો મંડન, ગોવિંદ એ માંન્દાનનો પુત્ર હતો, રમાબાઈ એ મહારાણા કુંભાની પુત્રી હતી, જેનો વિવાહ ગુજરાતમાં ગિરનારના રાજા માંડલિક સાથે થયો હતી, રમાબાઈ એ સંગીતશાસ્ત્રની જ્ઞાતા હતી. અને એ વાગીશ્વરીના નામથી પણ જાણીતી હતી !!!! ઈન્દ્રાદે એપણ મહારાણા કુમ્ભાની પુત્રી હતી. જેનાં લગ્ન આમેરના રાજા ઉદ્વ્રણ કછવાહા સાથે થયાં હતાં !!!!

Maharana Kumbha

ઈતિહાસ 

ઇસવીસન ૧૪૩૩ માં મહારાણા કુંભાનો રાજ્યાભિષેક થયો. (કર્નલ જેમ્સ ટોડ, મહારાણા કુંભના રાજ્યાભિષેકને વર્ષ ૧૪૧૮ એડી તરીકે વર્ણવે છે અને તેની પત્નીનું નામ મીરાબાઈ છે, જે સાચું નથી. મહારાણા કુંભા પછી મેરાબાઇ ૧૦૦ વર્ષ પછી થઇ હતી ) મહારાણા મોકલનાં મામા, મારવાડનો રણમલ હતો. રણમલ ચિત્તોડ આવ્યો અને કાકા અને મેરાને મારી નાખવા માટે ૫૦૦ ઘોડેસવારો સાથે ગયો અને તેમણે ઘણે બધે ઠેકાણે હુમલાઓ કર્યાં. કાકા અને મેરા પોતાનાં સાથીઓ રાજપૂતોના હાથે માર્યા ગયાં. ઇક્કા (કાકાના પુત્ર) અને મહાપા પંવર માંડુના સુલતાનના મહમૂદના આશ્રયસ્થાનમાં ભાગી ગયા હતા

રાઘવદેવ (મહારાણા કુંભાના કાકા ) અને રણમલ વચ્ચે કૈક ખટપટ થઇ. રણમલે દગાથી રાઘવદેવની હત્યા કરી દીધી. જેનું વર્ણન કૈક આવું છે —- રણમલે રાઘવદેવને ભેટસ્વરૂપે એક અંગરખુ આપ્યું. જેની બંને બાંયીનું મો સીવેલું હતું. જયારે રાઘવદેવે આ અંગરખુ પહેર્યું તો એના બંને હાથ ફસાઈ ગયાં. એટલામાં જ રણમલે તલવારથી રાઘવદેવની હત્યા કરી નાંખી !!! મહારાણા કુંભાએ જનકાચલ પર્વત અને આમૃદાચલ પર્વત પર વિજય પ્રાપ્ત કર્યો

ઇસવીસન ૧૪૩૭ માં મહારાણા કુંભાએ દેવડા રાજપૂતોને પરાજિત કરીને આબુ પર પોતાનો અધિકાર જમાવ્યો. ઇસવીસન ૧૪૩૭-૩૮માં મહારાણા કુંભાએ માંડલગઢ પર હુમલો કરીને તેનાં પર પણ વિજય મેળવ્યો. મંડલગઢ પર હાડા રાજપૂતોના સહયોગીઓનો કબજો હતો. આ દિવસોમાં મહારાણાએ ખટકડ પર હુમલો કરીને ત્યાંપણ વિજય મેળવ્યો. કેટલાંક દિવસ પછી, જહાંજપુર પર હુમલો કર્યો. થોડીક મુશ્લેલીઓ બાદ મહારાણા કુંભાએ જહાંજપુર પણ વિજય મેળવ્યો

મહારાણા કુંભાએ ગાગરોન જેવા મજબૂત ગઢ પર હુમલો કર્યો અને ટૂંકા સમયમાં કિલ્લો જીત્યો અને તે અચલ્દાસ ખીંચીના પુત્ર પ્રહલાનસિંહને આપી દીધો. ઇસવીસન ૧૪૩૯ મહારાણા કુંભાએ મંડુના સુલતાન મહમૂદને પત્ર લખ્યો હતો કે, “જો અમારા પિતાના ખૂનીને મહાપા પવારને સોંપી દેવા જોઈએ,નહીં તો પછી લડાઈ માટે તૈયાર રહો” મહમૂદે આ પત્રને ખૂબ કડક જવાબ આપ્યો અને મહારાણાને મહાપાને આપવાનો ઇનકાર કર્યો. મહારાણા કુંભાએ સૈન્ય સાથે મંડુ તરફ કુચ કરી આ સમયે, રણમલ પણ મહારાણા સાથે હતો. મહમૂદ મોટી લડાઈ પછી મંડુના કિલ્લામાં ભાગી ગયા હતા, પરંતુ થોડા સમય પછી તે બહાર આવી ગયો. મહાપા પંવર બચી ગયા, પરંતુ સુલ્તાન મહમુદને મહારાણા કુંભા દ્વારા કેદ કરવામાં આવ્યો અને તેને બંદી બનાવીને ચિત્તોડ લાવવામાં આવ્યો. ૬ મહિના પછી કેટલોક દંડ ભરાવીને એને છોડી મુક્યો (મહમુદને છોડ્યા પછી, તેમણે મેવાડ પર ૭-૮ વખત હુમલો કર્યો.)

વિજય સ્તંભ —-
આ વિજયનું ચિન્હ એટલે વિજય સ્તંભ. જે ચિત્તોડગઢમાં સહિત એજ સ્તંભનું ઉંચી મિનારો છે. આ વિજયસ્તંભને ૧૪૪૨ – ૧૪૪૯માં બનાવવમાં આવ્યો હતો !!! ૧૨૨ ફૂટ ઊંચા અને ૯ માળ ઉંચો આ વિજય સતંભ એ ભારતીય સ્થાપત્યકલાની બારિક એવં સુંદર કારીગીરીનો અદભૂત નમૂનો છે. જે નીચેથી એકદમ પહોળો, વચમાંથી સાંકડો અને પુન: ઉપરથી પાછો એકદમ પહોળો, ડમરુંના આકાર જેવો છે !!!! આમાં નીચેથી ઉપર જવાં માટે ૧૫૭ દાદરા છે. આ સ્તંભનું નિર્માણ મહારાણા કુંભાએ પોતાના સમયના મહાન વાસ્તુશિલ્પી મંડનના માર્ગદર્શનમાં એમનાં દ્વારા બનાવેલાં નકશાને આધારે બનાવ્યો હતો. આ સ્તંભનાં આંતરિક તથા બાહ્ય માર્ગો પર ભારતીય દેવી – દેવતાઓ, અર્ધનારીશ્વર , ઉમા મહેશ્વર , લક્ષ્મીનારાયણ, બ્રહ્મા, સાવિત્રી, હરિહર, વિષ્ણુ ભગવાનનાં વિભિન્ન અવતારો અને રામાયણ એવં મહાભારતના પાત્રોની સેંકડો મૂર્તિઓ ઉત્કીર્ણ છે !!!! વિજય સ્તંભનો સંબંધ માત્ર રાજનીતિક વિજય સાથે જ નથી પણ આ સ્તંભ ભારતીય સંસ્કૃતિ અને સ્થાપત્યનો જ્ઞાનકોષ છે !!!!

વિજય સ્તંભ

મહારાણા કુંભાએ નરાણા, માલારાણા, અજમેર ,મોડાલગઢ , ખાટુ, જંગલ પ્રદેશ , કાંસળલી ,નાર્દીય નગર , હમીરપુર, શોભાનાગારી, વાયસપુર ધાન્યનગર ,સિંહપુર, વસંતગઢ , વામા, પિન્ડવાડા , શાકમ્ભરી, સાંભર, ચાટસૂ , ખાંડેલા, આમેર, સીહારે, જોગીનીપુર, વિશાલ નગર પર વિજય પ્રાપ્ત કર્યો હતો !!!! અહીંથી કેટલાંકશાસક રાજાઓ પાસેથી મહારાણા કુંભાએ કર પણ વસુલ્યો હતો. મહારાણા કુંભાએ જાનાગઢ દુર્ગ પર વિજય પ્રાપ્ત કર્યો અને પોતાનાં વિશ્વાસુ કોઈ સરદારની ત્યાં નિયુક્તિ કરી. કેટલાક સમય પછી માળવાના સુલતાન મહમૂદ ખિલજીએ જાનાગઢ પર હુમલો કર્યો. કિલ્લાની રાજપુતાણીઓએ જૌહર કર્યો. પણ આ જૌહર ઇતિહાસમાં પ્રસિદ્ધ ના થયો. મહારાણા કુંભાએ હમીરનગર પર વિજય હાંસલ કર્યો અને ત્યાંના રાજાની પુત્રી સાથે લગ્ન કર્યાં. મહારાણા કુંભાએ ગુજરાતના બિસલનગર પર હુમલો કર્યો. કોટડા મેવાડનાં હાથોમાંથી નીકળી ગયું હતું. મહારાણા કુંભાએ કોટડા પર વિજય હાંસલ કર્યો અને એને પાછું મેવાડમાં ભેળવ્યું. મહારાણા કુંભાના ભાઈ ક્શેમ્કરણ (ખેમા)મહારાણાથી નારાજ થઈને માળવાના સુલતાન મહમૂદ ખિલજી પાસે એના શરણમાં જતો રહ્યો હતો. સુલતાને ખેમાને જાગીર આપી

૧૪૨૯ ઇસવીસનમાં જ્યારે મહારાણા કુંભાએ મંડુના રાજા મહમુદ ખલિજીને 3 વર્ષ પછી જેલમાં મૂક્યો ત્યારે તેમણે બદલો લેવાનો નિર્ણય કર્યો અને ત્યારબાદ મેવાડ પર હુમલો કર્યો. મહમૂદ ખીલાજુ પર્વતોની ધારે ધારે થઈને સીધો કુંભલગઢ તરફ ગયો. મહારાણા કુંભા ચિત્તોડગઢ અને કુંભલગઢમાં ન હતા. મહારાણા આ વખતે ચિત્તોડગઢની પૂર્વ તરફ કેટલાક પર્વતોપર ચઢાઈ કરવાં ગયાં હતાં મહમૂદ કુંભલગઢ પહેલા કેલવાડા ગામમાં આવ્યો. જ્યારે કુંભલગઢથી દીપસિંહના નેતૃત્વમાં રાજપૂતોની એક ફૌજી ટુકડી કેલવડામાં બાણ/ બાયણના મંદિરોમાં પહોંચી. યુદ્ધ ૭ દિવસ સુધી ચાલ્યું અને દીપસિંહ તેમના તમામ રાજપૂતો સાથે વીરગતિ પામ્યાં. મહમૂદે આ મંદિર સાથે શું કર્યું તે કોઈને ખબર નથી !!!! મંદિરની ફતેહ થી ખુશ થઈને મહમૂદને કુંભલગઢ દુર્ગ પર ફતેહ હાંસલ કરવાનાં ઓરતાં જાગ્યાં. કિલ્લાની તળેટીમાં નાની-મોટી લડાઈ કરીને કિલ્લો જીતવો નામુમકીન લાગ્યો એટલે એ ત્યાંથી જતો રહ્યો !!!! હવે મહેમુદ ખિલજીએ ચિત્તોડગઢ પર ફતેહ હાંસલ કરવાનો ઈરાદો મક્કમ કર્યો !!!! જોરદાર લડાઈ પછી મહમૂદને કામયાબી મળી અને ત્યાં એક ઘણી મોટી વિશાળ સેના તૈનાત કરીને એ મહારાણા કુંભાની ખોજમાં નીકળ્યો. મહમૂદ ખિલજીએ આઝમને ફૌજી ટુકડી સાથે મહારાણા ના મુલ્કને તબાહ કરવાં મંદસૌર તરફ મોકલ્યો. આઝમ મંદસૌરમાં જ મરી ગયો કે એને મારી નાંખ્યો તેની કોઈને ખબર નથી !!!! મહારાણા કુંભાએ માંડલગઢ પાસે જઈને મહેમુદનો મુકાબલો કર્યો. (આ લડાઈમાં બંને પક્ષો તરફથી ઈતિહાસકારોએ પોતપોતાના વિજયનો ઉલ્લેખ કર્યો છે )

Maharan Kumbha 2

થોડાં સમય પછી મહારાણા કુંભાએ ફરીથી મહમુદનો મુકાબલો કર્યો. આ વખતે મહમૂદ ભાગીને માંડુ જતો રહ્યો અને ચિત્તોડગઢ પર મહારાણા કુંભાએ અધિકાર જમાવ્યો.મહારાણા કુંભાએ ધાન્યનગર અથવા વૃન્દાવતી પૂરી (ગાગરૌન)ને જલાવીને નષ્ટ કર્યું

ઇસવીસન ૧૪૪૩- રણમલની હત્યા

ઇક્કા અને મહાપા પંવર મહારાણા કુંભા પાસે આવ્યા હતા અને તેમના પાપો માટે માફી માગી હતી. મહારાણાએ બંનેને માફ કર્યા. આ બંનેએ મહારાણાને લલચાવવાની ખૂબ જ કોશિશ કરી. ફરીથી રણમલ મેવાડ પર કબજો કરી લેશે !!!! જોકે મહારાનાને થોડીક શંકા તો ગઈ પણ વિશ્વાસ ના બેઠો !!!! જોકે મહારાણા થોડો શંકાસ્પદ હતા, પરંતુ બન્યું ન હતું. પછી એક દિવસ રણમલે શરાબના નશામાં ચકચૂર થઈને મહારાણા કુંભાની હત્યા કરવાની કોશિશ ની વાત પોતાની પ્રેયસી ભારમલીને કહી દીધી. ભારમલી મેવાડ પ્રતિ વફાદાર હતી. જેના કારણે આ વાત મહારાણા સુધી પહોંચી !!!!

મહારાણા કુંભાએ સલૂમ્બર પહેલાં રાવત સાહબ ચૂંડાને બોલાવ્યો. ચૂંડાના આવવાથી રણમલને પણ શંકા તો ગઈ કે હવે એનો અંત નજીક જ છે !!! તો એણેપોતાનાં દીકરા જોધા અને કાંધલને બોલાવી દીધા અને તેમણે કહ્યું કે —–

“કિલ્લાની નીચે ઊભાં રહો અને જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી તમે ઉપર નાં આવતાં !!!” આજ રાતે મહારાણાએ ભારમલી, ઇક્કા, અને મહાપા પંવર ને કેટલાંક સૈનિકો સાથે રણમલની હત્યા કરવાં મોકલ્યા.  રણમલે ૩ મેવાડી સૈનિકોને તો મારી નાંખ્યા પણ સાથે સાથે એની પણ હત્યા થઇ ગઈ
(મુહણોત નૈણસીએ ૩ નાં સ્થાને ૧૬ સૈનિકોના મારવાની વાત લખી છે ) એજ વખતે એક વૃધ્ધાએ કિલ્લામાંથી જોરદાર બુમ પાડી. જે ઇતિહાસમાં ખુબ્બ જ પરસિદ્ધ થઇ ……

એ વૃદ્ધાએ કહ્યું હતું —— “જ્યાંકા રણમલ મારેયા જોધા ભાગ સકે તો ભાગ !!!!” જોધા પણ બહુજ બહાદૂર યોદ્ધો હતો. પણ આ વખતે તે પોતાનાં રાજપૂતો સમેત દીર્ગની તળેટીમાં હતો. રાવત ચૂંડા પણ સૈનિકો સાથે તળેટીમાં પહોંચ્યો અને ત્યાં પણ જોરદાર લડાઈ થઇ !!!! આ લડાઈમાં જોધા તરફથી જે રાજપૂતો કામ આવ્યા તેમનાં નામ આ પ્રમાણે છે ——–

  • > શિવરાજ
  • > પૂના ભાટી
  • > ભીમા
  • > વૈરીશાલ
  • > બજરંગ ભીમાવત
  • > ભીમ ચુન્ડાવત (રાવ જોધાના કાકા)
  • > ચરઢા ચંદ્રાવત
  • > પૃથી રાજ ઈંદા

જોધા અને કાંધલ એ બંને માંડલના તળાવ પર પહોંચ્યા. ત્યાંથી તેઓ મારવાડ જતાં રહ્યાં. રાવત ચૂંડા પણ મારવાડ પહોંચ્યો અને મંડોવર પર કન્જો કર્યો. રાવત ચૂંડાએ પોતાનાં પુત્રો કુંતલ, માંજા અને સૂવાને ત્યાં તૈનાત કર્યાં !!!

દુખદ કિસ્સો ——–

એક દિવસ મહારાણા કુંભા દરબાર ભરીને બેઠાં હતાં. ત્યાં જ મારવાડના રણમલના ભત્રીજા નરબદની વાત નીકળી. બધાંજ સારદારોનું એમ કહેવું હતું કે નરબદ પાસે જે માંગો તે તેને આપી દે છે !!! મહારાણાએ કહ્યું કે —– આવું તો સંભવ નથી. તો પણ સરદારો એ પોતાની વાત દોહરાવી મહારાણા કુંભાએ પોતાન ખાસ વિશ્વાસુ માણસને એ મ કહીને નરબદના ઘરે મોકલ્યો કે “નરબદ પાસે તેની આંખ માંગજો અને તે જો કાઢી આપવાં જાય તો એને એમ કરતાં રોક્જો !!!” નરબદની એક આંખ થોડાંક જ વર્ષો પહેલાં યુદ્ધમાં ફૂટી ગઈ હતી. જયારે એ માણસે નરબદ પાસે તેની આંખ માંગી. ત્યારે જ તેણે અંદાજો આવી ગયો હતો કે મહારાણા કુંભા નો જ આ માણસ છે અને એ મને આંખ નીકાળવા નહીં દે !!! પછી નરબદે ચુપકીથી પોતાની આંખ કાઢી દીધી અને એ માણસને આપી દીધી. આ ખાબર જયારે મહારાણા કુંભા પાસે પહોંચી તો એ તરત જ નરબદના ઘરે પહોંચ્યો અને બહુજ પસ્તાયાં !!!!

ઇસવીસન ૧૪૪૩ ———-

આ વર્ષે, માલવાના સુલ્તાન મહેમૂદે ગાગરોન પર ચઢાઈ કરી હતી.  આ વખતે ગગરોનના રાજા રાવ પ્રહલાનસિંહ ખીંચી હતો. જેણે મહારાણા કુમ્ભાને ગગરોનનો કિલ્લો સોંપ્યો હતો. સુલતાનનાં હુમલાથી રાવ પ્રહલાનસિંહ વીરગતિ પામ્યાં. ફારસી તવારિખ માસીર-ઈ- મોહમદશાહીના જણાવ્યા મુજબ. આ ઘટનાની ખબર મહારાણા કુંભાને મળી તો મહારાણા કુંભાએ કહ્યું ” સુલતાન આ વિજયને બહુ મોટો વિજય ના માને કારણકે આટલી જમીન તો હું ભાટોંને દાનમાં આપું છું !!!!” મહારાણા કુંભાએ મલ્લારગઢને જલાવીને નષ્ટ કર્યું અને ત્યાના માલિક રાજાને કેદ કર્યો. મહારાણા કુંભાએ હજારો દુશ્મનોને હરાવ્યા અને રણથંભોર કિલ્લા પર વિજય મેળવ્યો. ડુંગરપુરના રાવલ ગોપીનાથ મહારાણાના આધીન ન હતા, જેના માટે મહારાણા કુંભાએ ડુંગરપુર પર હુમલો કર્યો. રાવલ ગોપીનાથ લડાઈ વગર ભાગી ગયા અને મહારાણા ડુંગરપુર લૂંટી ગયા * મ્યાનને બદુનૌર નજીક બળવો કર્યો. મહારાણા કુંભાએ મેરૉનના સરદાર મુનિરને હરાવ્યો અને બળવો કર્યો. બદનૌરપાસે મેરોએ બગાવત કરી દીધી. મહારાણા કુમ્ભાએ મેરોના સરદાર મુન્નીરને પરાજિત કરીને બગાવતને કચડી નાંખી !!!!

ઇસવીસન ૧૪૪૬ ———-

૪ વર્ષ પછી ફરી પાછી માંડુના મહમૂદે મેવાડ પર ચડાઈ કરી. માંડલગઢ પાસે બનાસ નદીના કિનારે બંને સેનાઓનો મુકાબલો થયો. મહમૂદ ફરી પાછો પરાજિત થઈને ભાગી ગયો

ઇસવીસન ૧૪૪૯—

મારવાડના રાવ જોધાએ મંડોવર પર હુમલો કર્યો અને એના પર પોતાનો કબજો જમાવ્યો. મંડોવમાં તૈનાત મેવાડના રાવત ચૂંડા ના ૩ પુત્રો કુંતલ,માંજા અને સૂવા મૃત્યુ પામ્યાં. આવલ-બાવલની સંધિ —— આ સંધિ હન્સાબાઈ અને મહારાણા કુંભાની દાદી એટલેકે રાવ જોધાની ફોઈના પ્રયાસોથી થઇ. આ સંધિ અંતર્ગત મેવાડ- મારવાડની સીમાઓનું નિર્ધારણ કરવામાં આવ્યું !!!! રાવ જોધાએ પોતાની પુત્રી શ્રુંગારદેવી ના વિવાહ મહારાણા કુંભાના પુત્ર રાયમલ સાથે કરાવીને આપસી વેર મિટાવ્યું !!!!

ઇસવીસન ૧૪૫૪ ——–

માંડુના બાદશાહ મહમૂદ ખિલજીએ મેવાડ પર ચડાઈ કરી એને પોતાનાં દીકરા ગયાસુદ્દીનને રણથંભોર તરફ મોકલ્યો અને પોતે જાતે ચિત્તોડ તરફ ગયો. કામયાબી મળી નહીં એટલે એ પાછો ફર્યો !!!!

ઇસવીસન ૧૪૫૫—

મહમૂદે મંદસૌર પર ચડાઈ કરી. મંદસૌર પર મહારાણા કુંભાએ ગજધરને તૈનાત રાખ્યો જ હતો. ૪ દિવસ સુધી ચાલેલાં આ યુધ્ધમાં મહમૂદની સેના જોડે લડતાં લડતાં ગજધર કઈ કેટલાયે રાજપૂતો સમેત વીરગતિ પામ્યાં. ખ્વાજા નિ અમ્તુલ્લાને મંદસૌરનો કિલ્લો સોંપીને મહમૂદ માંડલગઢ તરફ કુચ કરી ગયો …… બનાસ નદીને કિનારે મહમુદની ફૌજ મેવાડી બહાદુરો સાથે મુકાબલો કર્યો અને મહમૂદ શિકસ્ત પામીને ત્યાંથી ભાગી ગયો. માળવાના બાદશાહ નો દિકરો ઉમર ખાં પોતાના બાપ સામે બગાવત કરીને મહારાણા કુંભાના શરણમાં આવ્યો. ઉમર ખાં કેટલાય મહિના સુધી મેવાડમાં રહ્યાં પછી બાદશ સાથેના મુકાબલામાં માર્યો ગયો

પોતાનાં ભાઈને મર્યા પછી નાગૌર પર મુજાહિદ ખાંએ કબજો જમાવ્યો. મુજાહિદ ખાંએ પોતાના ભાઈના દીકરા શમ્સ ખાંને ત્યાંથી ભગાડી દીધો. શમ્સ ખાં ભાગી જઈને મહારાણા કુંભાના શરણમાં આવ્યો. મહારાણા કુંભાએ મુજાહિદ ખાનને હરાવ્યો અને નાગૌરની રાજગાદી પર શમ્સ ખાંને બેસાડયો . શમ્સ ખાંએ મહારાણા કુંભા સામે બળવો કર્યો હતો, મહારાણાએ સૈન્ય સાથે નાગૌરને હુમલો કર્યો. શમ્સ ખાં ભાગી જઈને ગુજરાતના રાજા કુતુબુદ્દીન પાસે જતો રહ્યો.

મહારાણા કુંભાએ નાગૌરના કિલ્લાને ઘેરીને શમ્સ ખાં દ્વારા તૈનાત કરેલી સેનાને મારી નાંખીને એનો કબજો મેળવ્યો !!! ગુજરાતના સમ્રાટ કુતુબુદ્દીને શમ્સ ખાંને ઘણાં સૈન્ય મોકલ્યા અને નાગૌર પર આક્રમણ કરવાં કહ્યું. મહારાણા કુંભા પણ મુકાબલા માટે નાગૌરનાકિલ્લામાંથી બહાર નીકળ્યા સખત યુદ્ધ પછી મહારાણાએ વિજય મેળવ્યો. બાદશાહ કુતુબુદ્દીનનું સૈન્ય ભાગી જઈને પાછું ગુજરાતમાં ગયું.

ઇસવીસન ૧૪૫૬ ——–

ગુજરાતના સમ્રાટ કુતુબુદ્દીને મહારાણા પર હુમલો કરવાં માટે પોતે જાતે ચઢાઈ કરી. પછી સમ્રાટ આબુમાં રહેતો હતો અને લશ્કરને ઈમાદુલમુલક મોકલ્યો હતો. મહારાણા કુંભાએ ફરીથી દુશ્મનોને હરાવ્યા અને પોતે કુંભલગઢ તરફ ચાલ્યા ગયા. બાદશાહ કુતુબુદ્દીન કુંભલગઢ તરફ કુચ કરી ગયા. માર્ગ માં , કુતુબુદ્દીને સિરોહી પર હુમલો કરીને વિજય મેળવ્યો. મહારાણા કુંભા પણ લડવા માટે સામે આવ્યાં. ગોડવડમાં આ યુદ્ધ પછી કુતુબુદ્દીન ભાગીને ગુજરાત જતાં રહ્યાં.

 ઇસવીસન ૧૪૫૬ ——–

માળવાના સુલતાન મહમૂદ ખિલજીએ માંડલગઢ દુર્ગ પર કબજો મેળવ્યો. ચાંપાનેરની સંધિ ——– આ સંધિ ગુજરાતના બાદશાહ કુતુબુદ્દીન અને માળવાના સુલતાન મહમૂદ ખિલજી વચ્ચે થઇ ………..
જેનાં પરિણામ સ્વરૂપ આ બંનેએ સાથે મળીને મહારાણા કુંભા પર હુમલો કરવાનો નિર્ણય લીધો

ઇસવીસન ૧૪૫૭ ——–

બાદશાહ કુતુબુદ્દીન મેવાડની પશ્ચિમ દિશામાં અને સુલતાન મહમૂદ ખિલજીએ અને મેવાડની દક્ષિણે ચઢાઈ કરી. બન્નેએ આબુના મંદિરો, સિરોહી વગેરેને લૂંટી લીધા હતા અને ૧૪ મણ સોનું અને બે હાથીઓ જપ્ત કર્યા હતા. સુલતાન મહમુદ ખિલજી કુંભલગઢ નજીક આવ્યા, તો મહારાણા કુંભાએ એમનો મુકાબલો કર્યો.  રાત થઇ ગઈ ત્યારે પણ આ યુદ્ધનું કોઈ પરિણામ ના આવ્યું એટલે બંને પક્ષોના સૈનિકો પોતપોતાની છાવણી માં જતાં રહ્યાં.  યુદ્ધ સવારે થયું અને મહારાણા કુંભાએ ફતેહ હાંસલ કરી.  બંને બાદશાહો પરાજિત થઈને પોતપોતાનાં મુલ્કમાં જતાં રહ્યાં.  મહારાણા કુંભાએ સારંગપુરને લૂંટી લીધું.  બુંદીના હાડા,માંડા અને સાંડાએ અમરગઢના કિલ્લા પર પોતાનો કબજો જમાવ્યો. મહારાણા કુમ્ભાને આ ખબર મળી કે તરતજ એમણે અમરગઢના કિલ્લાને ઘેરો ઘાલીને એના પર વિજય મેળવ્યો. આ લડાઈમાં બુંદીવાળાંની તરફથી તોગજી હાડાનું મૃત્યુ થઇ ગયું !!!!. મહારાણાએ બુંદીને ઘેરો ઘાલ્યો ત્યારે હાડા,માંડા અને સાંડાએ મહારાણા કુંભાનું આધિપત્ય સ્વીકારી લીધું !!!!

ઇસવીસન ૧૪૫૮ ——–

નાગૌરના મુસ્લિમોએ ગૌવધ જેવું હિંદુ વિરોધી કાર્ય કર્યું હતું. જેનાથી ક્રોધિત થઈને મહારાણા કુમ્ભાએ નાગૌર પર હુમલો કરીને હજારો મુસ્લિમોને મારીને એ કિલ્લા પર વિજય મેળવ્યો. મહારાણા કુંભાએ નાગૌરના કિલ્લાને નષ્ટ કરી નાંખ્યો !!! ઘટનાના ૧૦૦ વર્ષ બાદ લખાયેલા ગ્રંથ ટાઇપ તબકાત-એ-અકબરી અનુસાર “રાણા કુંભાએ નાગૌરનો પાક (ફસલ) સુધ્ધાં નહોતી છોડી.  આ લખાણમાં, રાણા કુંભાએ તાજેતરમાં નાગૌરમાં મુસ્લિમ લોકોની હત્યાના હાલ લખ્યાં છે.

નાગૌરનો હાકીમભાગીને ગુજરાતના રાજા કુતુબુદ્દીનને પાસે પહોંચ્યો. મહારાણા કુંભાએ નાગૌરની કિલ્લાથી માલ, ઘોડા, હાથી વગેરે લૂંટી લીધા. નાગૌરની કિલ્લામાં હનુમાનજીની પ્રતિમા મહારાણા કુંભલગઢ લાવી, જે હાલમાં હનુમાનપોલના દરવાજા પર છે. મહારાણા કુંભાએ નાગૌર કિલ્લામાં ફિરોઝ શાહ દ્વારા બાંધવામાં આવેલી મસ્જિદ ને પણ તોડી નાંખી હતી . મહારાણાએ નાગૌરમાં ડીડવાનામાં સ્થિત મીઠાના ઉદ્યોગ પર કર નાંખ્યો !!!

૨૩ નવેમ્બર ૧૪૫૮ ——–

માળવાના સુલતાન મહમૂદ ખિલજી ચિત્તોડ તરફ રવાના થયો હતો.  રસ્તામાં તેમના પુત્ર, શહજાદે ગ્યાસુદ્દીનને મગરા અને ભિલવારડાને લૂંટવા મોકલ્યો. શહજાદે ગ્યાસુદ્દીને ફિદાઈ ખાન અને તાજ ખાન સાથે કેસુન્દીનો કિલ્લો પૂરો કર્યો. (તારીખ ચંદ્રૂરના મેહ્રમુદના કિસ્સામાં લખાયેલી છે, પરંતુ તે પહેલાં કોઈ પણ યુદ્ધના સંદર્ભમાં, મહમૂદના મંડુ જવાનો ઉલ્લેખ છે. તે શક્ય છે કે મહમુદ મહારાણાથી પરાજિત થઈને મંડુ પાછો ફર્યો હોય )

આ દિવસોમાં આબુના દેવડા રાજપૂતોએ મહારાણા સામે બળવો કર્યો હતો. મહારાણા કુંભાએ સૈન્યને રાવ બાલાજીના પુત્ર નરસિંહા ડોડિયાને મોકલ્યા અને તેને આબુમાં મોકલ્યો. આબુના દેવડા રાજપૂતોએ મહારાણાની આધિનતા સ્વીકારી લીધી. મહારાણાના આદેશ અનુસાર નરસિંહ ડોડિયાએ આબુમાં મહેલો અને તળાવો બનાવ્યાં છે

ઇસવીસન ૧૪૬૧ ——–

માંડુના સુલતાન મહમૂદ ખિલજી એ મેવાડ પર ચઢાઈ કરી અને આહડ પર ડેરાતંબુ તાણ્યા. ત્યાંથી મહમૂદ ડુંગરપુર જતો રહ્યો અને ડુંગરપુરના રાવલ પાસેથી ૨ લાખ રૂપિયા અને સેનાખર્ચ લઈને માંડુ જતો રહ્યો !!!!

ઇસવીસન ૧૪૬૩ ——–

ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાએ જુનાગઢ (ગુજરાત) પર હુમલો કર્યો. જુનાગઢના રાજા માંડલિક (રમાબાઈના પતિ અને મહારાણા કુંભાના જમાઈ) હતાં. મહારાણા કુંભાએ રાજા માંડલિકને સૈનિકોની સહાયતા કરી જેના કારણે સુલતાન પરાજિત થયો !!!

ઇસવીસન ૧૪૬૭ ——–

ગુજરાતના બાદશાહ કુતુબુદ્દીને મેવાડ પર ચઢાઈ કરી અને સિરોહી ને લૂંટીને એ કુંભલગઢ પહોંચ્યો. કુંભલગઢની નજીક મહારાણા કુંભા દ્વારા પરાજિત થઈને કુતુબુદ્દીન પોતાના રાજ્યમાં પાછો જતો રહ્યો !!!

મહારાણા કુંભાના દેહાંતના હાલ ———

મહારાણા કુંભ કુંભલગઢથી એકલિંગજીના દર્શન કરી કૈલાશપુરી પધાર્યા. જ્યાં મંદિરની બહાર એક ગાય જોરથી ભાંભરી, મહારાણાનું ધ્યાન એ ગાય તરફ ગયું. પરંતુ તે પછી મંદિરમાં પ્રવેશ્યો અને સીધા કુંભલગઢ ગયા. સભામાં બીજા દિવસ સુધી મહારાણાએ કોઈ શબ્દ બોલ્યો નહીં. દરબારમાં અચાનક તલવાર કાઢી અને બોલ્યા “કામધેનું તાંડવ કરો બધાં ……!!!!” જ્યારે કેટલાક દરબારીઓએ મહારાણાને કેટલાક પ્રશ્નો પૂછ્યા મહારાણાએ પછી આ શબ્દ ઉચ્ચાર કર્યો, મહારાણા કુંભાને ઉન્માદ રોગ લાગુ પડ્યો હોય કોઈની પણ હિંમત ના થઇ કે એ મહાારાણાને આનું કારણ પૂછે !!! પછી મહારાણાના નાના પુત્ર શ્યામલે પૂછ્યું. શા માટે તમે વારંવાર આ શબ્દનું ઉચ્ચારણ કરી રહ્યા છો, તેથી મહારાણા કુંભાએ રામલને દેશવટો આપી દીધો. મહેલ છોડ્યા પછી, બધા અધિકારીઓએ શ્યામલને કહ્યું કે તમારે દેશ છોડી જવાની જરૂર નથી. મહારાણાના આ ઉન્માદ રોગની સારવાર ના થાય ત્યાં સુધી તમારે ફક્ત થોડા દિવસો સુધી તમારી સાસરી ઇડરમાં જતાં રહો !!!

(મહારાણા કુમ્ભાનો દેહાંત મહાદેવ મંદિરમાં કટારગઢમાં થયો એ સરસર ખોટું છે જયારે હકીકતમાં એક દિવસ મહારાણા કુંભા ઉન્માદ રોગમાં જ કુંભલગઢમાં જ આવેલાં મામાદેવના કુંડ પર કોઈ વિચારોમાં ડૂબેલાં હતાં. ત્યારે મહારાણા કુંભના જયેષ્ઠ પુત્ર ઉદયસિંહ પ્રથમ (ઉદા)એ આવ્સ્રનો લાભ ઉઠાવીને પાછળથી તલવારનો ઘ કરીને મહારાણા કુમ્ભાનું માથું ધડથી અલગ કરી દીધું !!!! આ રીતે ૫૧ વર્ષની આયુમાં મહારાણા કુંભાનો દેહાંત થયો

મહારાણા કુંભા ચિત્તોડ પધાર્યા ———

(બુંદીના ગ્રંથ વંશ ભાસ્કરમાં સુરજમલ / સૂર્યમલે લખ્યું છે કે “બુંદી લોકોએ મહારાણા કુંભની સેનાને હરાવ્યો, એનાં પછી મહારાણા કુંભા શરમનો માર્યો ૨ મહિના પછી મરી ગયો. કુંભલગઢ કિલ્લામાં મામ્દેવના કુંડ પર પોતાની જ પ્રશસ્તિમાં મહારાણા દ્વારા હાડૌતી વિજયનો ઉલ્લેખ છે. આ પ્રશસ્તિ કોતરાવ્યા પછી ૮ વર્ષ પછી મહારાણાનુ મૃત્યુ થયું હતું. જ્યારે વંશ ભાસ્કરમાં ૨ મહિના પછી મૃત્યુ પામ્યાનો ઉલ્લેખ છે. આહિયા વિચારવા જેવી બાબત એ છે કે જે મહારાણાનો ખૌફ ગુજરાત, માલવા, મંડુ અને દિલ્હીના શાસકોમાં રહેતો હતો.  અહીં માનવું જોઈએ કે મહારાણા જે ગુજરાત, માલવા, મંડુ અને દિલ્હીના શાસકોમાં રહેતા હતા, તેઓ પોતાનાં માતહત રાજપૂતો સામે કેવી રીતે હારી ગયા ?હાર્યા તો હાર્યા પણ હારી જઈને બીજીવાર હુમલો જ નાકરીને શરમના માર્યા મરી જવું એ તો બિલકુલ વિશ્વાસપાત્ર નથી જ !!!! રાજપૂતાનામાં મહારાણા કુંભા તેમના જીવનકાળ દરમિયાન એક પણ યુદ્ધને હારી જવા માટે જાણીતા નથી. બુન્દીની તવારીખ સિવાય બધીજ જગ્યાએ મહારાણાના વિજયની ગાથાઓ લખાયેલી છે. જેનાથી વંશ ભાસ્કરમાં લખેલું પક્ષપાતપૂર્ણ અને અને ખોટું સાબિત થાય છે !!!! જેના દ્વારા વૈષ્ણ ભાસ્કરના લખાણો પક્ષપાતી અને ખોટા સાબિત થાય છે).

મહારાણા કુંભા દ્વારા નિર્મિત ૩૨ દુર્ગ

વિસ્તાર કાર્ય ——–

  • [૧] આ અંતર્ગત ચિત્તોડગઢનું કાર્ય પ્રમુખ છે. જેમાં મહારાણા કુંભાએ પ્રવેશનો માર્ગ બદલીને પશ્ચિમ દિશા થી પુર્વ દિશા તરફ કરી દીધું અને નવીન દરવાજાઓ (પોળો)બધાવ્યા અને એને સુદ્રઢ બનાવ્યા.  એમાં પોતાના માટે મહેલ પણ બંધાવ્યો જે આજેપણ જોવાં લાયક છે ——- કુંભ મહેલ તરીકે !!!
  • [૨] આ જ રીતે માન્દ્લ્ફધના કિલ્લાનો વિસ્તાર પણ કર્યો
  • [૩] વસંતગઢ (આબુ) ને ઉત્તરથી લઈને પૂર્વ સુધી વિસ્તાર્યો
  • [૪] અચલગઢ (આબુ) નો કોટ અને એને કિલ્લાના રૂપમાં વિકસાવ્યો
  • [૫] આજ રીતનું કાર્ય જાલૌરમાં પણ કર્યું
  • [૬] એવી રીતે આહોર (જાલોર) માં દુર્ગની રચના કરી અને એનો વિસ્તાર વધાર્યો કે જયાં પુલત્સ્ય મુનિનો આશ્રમ હતો

સ્થાપના કાર્ય ———-

  • [૭] પોતાની રાણી કુંભલદેવીના નામ ઉપર કુંભલગઢ બનાવવામાં આવ્યો અને આને જ નવીન રાજધાનીના રૂપમાં વિકસાવવામાં આવ્યું
  • [૮] આજ પ્રકારે જાવએમાં કિલ્લો બનવવામાં આવ્યો
  • [૯] પાનરવામાં પણ નુતન કિલ્લો બનવવામાં આવ્યો અને ઝાડોલમાં પણ નવીન કિલ્લો બન્યો
  • [૧૦] કોટડામાં પણ નવો કિલ્લો બન્યો
  • [૧૧] સેન્વાડામાં પણ નવો કિલ્લો બન્યો
  • [૧૨] બગ ડુંદામાં પણ નવો કિલ્લો બન્યો
  • [૧૩] દેસૂરીમાં પણ નવો કિલ્લો બન્યો
  • [૧૪] ઘાણેરાવમાં પણ નવો કિલ્લો બન્યો
  • [૧૫] મુંડારામાં પણ નવો કિલ્લો બન્યો
  • [૧૬] આકોલામાં સુત્રધાર કેલ્હાબી દેખરેખમાં ઉપયોગી ભંડારણ માટે કિલ્લો બનવવામાં આવ્યો

જીર્ણોધ્ધાર કાર્ય ——–

  • [૧૭] ધાનોપ કિલ્લો
  • [૧૮] બનેડા કિલ્લો
  • [૧૯] ગઢબોર કિલ્લો
  • [૨૦] સેવંત્રી કિલ્લો
  • [૨૧] કોટ સોલેકિયાન
  • [૨૨] મિરઘેરસ અથવા મૃગેશ્વર કિલ્લો
  • [૨૩] રાણકપુરની ઘાટીનો કોટ
  • [૨૪] આજ પ્રકારે ઉડાવટની બાજુમાં પણ એક કોટનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો
  • [૨૫] કેલ્વાડામાં હમીરસર પાસે પણ એક કોટનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો
  • [૨૬] આદિવાસિયો પર નીયાન્ય્તન લાવવાં દેવલેયામાં કોટડી પાડી નાંખીને એક નવો કિલ્લો બંધાવ્યો
  • [૨૭] આવીજ ટીયર ગાગરોનનો પણ પુનરુદ્ધાર કર્યો
  • [૨૮] નાગૌરના કિલ્લાને નષ્ટ કરીને નવીનતમ કિલ્લો બનાવુંઓ
  • [૨૯] એકલિંગજીના મંદિર માટે પિતા દ્વારા પ્રારંભ કરવામાં આવેલાં કાર્યને કિલ્લા -પરકોટા બનાવીને એને સુરક્ષા પ્રદાન કરાઈ. આજ સમયે બસ્તીનું નામ કાશિકા રાખવામાં આવ્યું જે વર્તમાનમાં કૈલાસપુરીના બામે જાણીતું છે

નવનિરૂપણ કાર્ય ——-

  • [૩૦[ ચિત્તોડના કિલ્લાને નવું રૂપ આપવામાં આવ્યું
  • [૩૧] કૈલાશપુરીમાં ત્રિકુટ પર્વત પર નવીનીકરણ કરવામાં આવ્યું
  • [૩૨] ભૈંસરોગઢ કિલ્લાને નવીન સ્વરૂપ આપવામાં આવ્યું

કુંભલગઢમાં એક શિવલિંગ છે. મહારાણા કુંભા એ અત્યંત ઊંચા શિવલિંગની જમીન પર બેસીને પૂજા કરતો હતો. હવે એ વિચારો કે એની ઊંચાઈ કેટલી હશે !!!! દુનિયામાં જો ચીનની દીવાલ પછી જો લાંબામાં લાંબી દીવાલ હોય તો તે કુંભલગઢમી દીવાલ છે. ૩૬ કિલોમીટર લાંબી છે એનાં પર બે જીપો સાથે ફરી શકે એટલી પહોળી છે. આ કુંભલગઢ એ રાણા કુંભાએ બંધાવેલો છે. આજથી લગભગ ૭૦૦ વર્ષ પહેલાં !!!

ભારત એમનાં વિજયો અને આ કુંભલગઢને કયારેય નહીં વિસારી શકે !!!!

——– જનમેજય અધ્વર્યુ.

જો તમે આવાજ અન્ય વીર પુરુષો અને યોદ્ધાઓની ગાથા, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વીર નાથાભગત મોઢવાડીયા

– વીર યોદ્ધા- પૃથ્વીરાજ ચૌહાણ

– ભારતના વીર- મહારાણા પ્રતાપ

– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

– છત્રપતિ શિવાજી મહારાજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!