દુર્વાસા ઋષિ 

હિંદુ ધર્મના પુરાણો માં દુર્વાસા ઋષિ વિશે ઉલ્લેખ જોવા મળે છે.

દુર્વાસા મુનિ અત્રિ મુનિ અને અનસૂયાના સંતાન હતા.
દુર્વાસાજીને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે.

દુર્વાસા મુનિ પોતાના ક્રોધના કારણે જાણીતા હતા. એમણે ગુસ્સે થઇ કેટલાય લોકોને શાપ આપી એમની હાલત બગાડી નાખી હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. આ કારણે તેઓ જ્યાં પણ જાય ત્યાં લોકો ભગવાનની જેમ એમનો આદર કરતા હતા.

વિવાહ ———–

દુર્વાસા ઋષિ ના વિવાહ ઔર્વ મુનિની પુત્રી કંદલી સાથે થયા હતા. વિવાહ સમયે તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે હું મારી સ્ત્રીના સો સુધી અપરાધ ક્ષમા કરીશ. પ્રતિજ્ઞા પ્રમાણે તેમણે સો અપરાધ માફ કર્યા. પછી શાપ આપી પોતાની સ્ત્રીને ભસ્મ કરી દીધી.

શાપ ————

ઇંદ્ર ——
વળી કોઇ અપરાધ સારૂં ઇંદ્રને પણ શાપ આપ્યો હતો. કે તારી સર્વ સંપત્તિ સમુદ્રમાં પડશે અને તેમ તે પડી હતી.
સમુદ્રમંથન દ્વારા તેણે આપેલા શાપને લીધે ઇંદ્રને તે પાછી મળી હતી.

શકુંતલા ——
મહાકવિ કાલિદાસની મહાન રચના અભિજ્ઞાન શાંકુતલમાં વર્ણવ્યા મુજબ એમણે શકુંતલાને શાપ આપ્યો હતો કે તેણીનો પ્રેમી એને ભૂલી જશે, જે સાચું સાબિત થયું હતુ.

કૃષ્ણ ———
એક વખત તે દ્વારકા ગયા ત્યારે કૃષ્ણે તેનો બહુ જ સત્કાર કરી પોતાને ત્યાં રાખ્યા હતા. તે વખતે તેણે કૃષ્ણને ઘણી વખત સતાવ્યા હતા. એક વખત કૃષ્ણની પાસે ખીર કરાવી અને તે ખીર પોતાને હાથે રુકિમણી અને કૃષ્ણને શરીરે ચોપડી હતી.

બીજી વખત રથે ઘોડા ન જોડાવતાં કૃષ્ણ અને રુકિમણીને જોડ્યાં અને રુકિમણી બરાબર ચાલે નહિ તો તેને ચાબુક માર્યા હતા. આમ થતાં પણ કૃષ્ણને ક્રોધ ઉત્પન્ન થયો નહિ, એટલું જ નહિ પણ રુકિમણીની મુખમુદ્રા પણ પ્રસન્ન જ રહી હતી.

તે ઉપરથી પોતે બહુ પ્રસન્ન અને સંતુષ્ટ થઈ બંનેને ઘણાં પ્રકારનાં ઇચ્છિત વરદાન આપી પોતે સ્વસ્થાને ગયા હતા. એક સમયે કૃષ્ણે તેમની મહેમાની કરવામાં ભૂલ કરી. અન્નનો અમુક ભાગ દુર્વાસાના પગ ઉપરથી સાફ કરતાં કૃષ્ણ ભૂલી જતાં ઋષિ બહુ ગુસ્સે થયા અને તેનું મૃત્યુ કેમ થશે તે જણાવ્યું.

Mahrshi Durvasha

દુર્યોધનને આશીર્વાદ ————

એની એવી પ્રકારની સેવા દુર્યોધને પણ કરી હતી. દુર્યોધને વર માગ્યો કે, પાંડવોને ત્યાં જઈ ભોજન કરવા ખાતર નહિ, પણ પાંડવોનું સત્ત્વ જોવા સારૂ મધ્યરાત્રિ પછી જ્યારે ભોજન વગેરે આટોપાયું હોય તે વખતે ભોજન માંગવું. જો ભોજન ન આપે તો તેમને શાપવા. દુર્યોધનનું આ કહેવું દુર્વાસાને રુચ્યું નહિ, પણ પોતે વર માગ એમ કહ્યું હતું. એટલે નિરુપાયે ત્યાં ગયા અને પોતાના અયુત શિષ્યો સહિત પોતાને માટે અન્ન માગ્યું.

યુધિષ્ઠિરે તેમને સ્નાન માટે મોકલીને દ્રૌપદીને જગાડીને સમાચાર કહ્યા. એ સાંભળીને એ ગભરાઈ અને તરત જ કૃષ્ણનું સ્મરણ કર્યું. કૃષ્ણ ત્યાં પ્રગટ થયા અને સૂર્યની આપેલી થાળીમાં શાકપત્ર ઉપજાવી બધાંના દેખતાં પોતે ખાધું. એમ જમીને તૃપ્ત થતાં જ દુર્વાસા અને સઘળા ઋષિઓ પણ તૃપ્ત થયા. તેથી યુધિષ્ઠિરનું કલ્યાણ થાઓ એવો આશીર્વાદ દઈ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા

અંબરીશ સાથે મેળાપ ———–

(શ્રીમદ ભાગવત)શ્રીમદ ભાગવતમાં અંબરીશની સાથે દુર્વાસા ઋષિના ઝઘડાની કથા ખૂબ જ જાણીતી છે. અંબરીશ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હતા અને હંમેશા સાચું બોલતા હતા. અંબરીશે પોતાના રાજ્યની સુખ, શાંતિ અને સમૃધ્ધિના માટે પૂરી શ્રધ્ધાથ એક યજ્ઞ કરાવ્યો હતો.

એકવાર, અંબરીશે દ્વાદશીનું વ્રત કર્યું હતું, જેમાં એકાદશીએ વ્રતની શરુઆત થાય અને બારસના દિવસ વ્રત પૂર્ણ થાય છે. વ્રત પૂર્ણ થયા બાદ સાધુજનોને ભોજન કરાવવાનું હોય છે. જ્યારે આ દ્વાદશીના દિવસે વ્રત પૂર્ણ થવા આવ્યું ત્યારે અંબરીશના ઘરે દુર્વાસા મુનિ પધાર્યા.

અંબરીશે દુર્વાસા મુનિનું સાદર સ્વાગત કર્યું. અંબરીશે એમને ભોજન કરવા માટે આગ્રહ કર્યો. દુર્વાસાએ અંબરીશના આગ્રહનો સ્વીકાર કર્યો અને કહ્યું કે જ્યાં સુધી તેઓ નદીએ જઇ સ્નાન કરીને ન આવે ત્યાં સુધી અંબરીશે વ્રત પૂર્ણ કરવું નહીં. ઘણો સમય વીતી ગયો, પરંતુ દુર્વાસા મુનિ આવ્યા નહીં. અંબરીશે વ્રત પૂર્ણ કરવાનું હતું. ગુરુ વરિષ્ઠના આગ્રહને કારણે અંબરીશે તુલસી-પત્ર વડે પોતાનો ઉપવાસ પૂર્ણ કર્યો. અને દુર્વાસા મુનિની પ્રતિક્ષા કરવા લાગ્યા. દુર્વાસા ઋષિને એમ લાગ્યું કે એમના આવવા પહેલાં વ્રત પૂર્ણ કરી અંબરીશે એમનું અપમાન કર્યું, આથી ગુસ્સે ભરાયેલા દુર્વાસાએ પોતાની જટામાંથી એક રાક્ષસ પેદા કર્યો અને એને અંબરીશને મારવા માટે કહ્યું.

આ સમયે ભગવાન નારાયણના સુદર્શન ચક્રએ રાક્ષસનો વધ કર્યો અને અંબરીશની રક્ષા કરી. ત્યાર પછી સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિનો પીછો કરવા લાગ્યું. આથી ભયભીત દુર્વાસા મુનિએ પહેલાં બ્રહ્મા અને પછી શિવ પાસે પોતાના રક્ષણ માટે ગયા. બધાએ દુર્વાસા ઋષિને બચાવવા માટે પોતાની અસમર્થતા જાહેર કરી અને કહ્યું કે તેઓ અંબરીશ પાસે ક્ષમા માંગે. આખરે દુર્વાસા ઋષિએ અંબરીશ પાસે માફી માગી. અંબરીશે ભગવાન વિષ્ણુને યાદ કર્યા અને એમને દુર્વાસા મુનિની રક્ષા માટે પ્રાર્થના કરી. જોકે શિવ પુરાણમાં આ કથા થોડી અલગ રીતે આલેખવામાં આવેલી છે.

અંબરીશ સાથે મેળાપ ————-

(શિવ પુરાણ)શિવ પુરાણમાં વર્ણવ્યા મુજબ અંબરીશે દુર્વાસા ઋષિને ભોજન કરાવતાં પહેલાં વ્રત તોડીને દુર્વાસાનું અપમાન કર્યું. આથી દુર્વાસા ઋષિએ અંબરીશને મારી નાખવાનો નિર્ણય કર્યો. અંબરીશને બચાવવા માટે સુદર્શન ચક્ર ઉપસ્થિત થયું, પરંતુ દુર્વાસાના રૂપમાં સાક્ષાત શિવ ભગવાનને જોઇ ચક્ર રોકાઇ ગયું. એ સમયે એક આકાશવાણી થઇ. નંદીએ કહ્યું કે અંબરીશની પરીક્ષા લેવા માટે સ્વયં શિવ ભગવાન આવ્યા છે એટલે અંબરીશ શિવ ભગવાન પાસે ક્ષમા માગી લે. અંબરીશે ક્ષમા માગી અને દુર્વાસા મુનિએ પણ એને આશીર્વાદ આપ્યા.

ગુસ્સાવાળો સ્વભાવ
શ્રાપ આપે છતાં પણ એની મુક્તિનો ઉપાંય પણ એજ બતાવે
આવા અદભૂત ઋષિને વંદન જ હોયને વળી !!!!!
—— જનમેજય અધ્વર્યુ.

જો તમે ભારતના મહાન ઋષીઓની કથા વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

મહર્ષિ અષ્ટાવક્ર

મહાન ઋષિઓ સપ્તર્ષિ

– મહર્ષિ માર્કંડેય

– મહર્ષિ અગસ્ત્ય

– મહર્ષિ ગૌતમ

error: Content is protected !!