બુંદેલખંડનું ગૌરવ સમ્રાટ વિદ્યાધર ચંદેલ ⚔️🚩

ભારતીય સ્વાભિમાન ના પ્રતીક
ભારત ભૂમિના સનાતન ધર્મના રક્ષક
નિલકંઠ મહાદેવના પરમ ભક્ત
કંદર્પ મહાદેવના નિર્માણ કર્તા
ચંદેલ જ નહિં સમગ્ર હિંદુ વંશના
શૌર્યના પ્રતીક
સાર્વભૌમ સમ્રાટ પરમેશ્વર પરમભટ્ટારક કાલિજરાધિપતિ
મહારાજધિરાજ શ્રીમદ વિદ્યાધરદેવ વર્મન ચંદેલ
********************************************

ખજૂરહોના કંડારિયા મહાદેવ વિશે મેં જ્યારે હમણાં દીર્ઘ લેખ લખ્યો ત્યારે ઇસવીસન ૧૦૧૯ અને ઇસવીસન ૧૦૨૨માં ભારત પર મહમૂદ ગઝનીનું આક્રમણ થયું હતું. જો કે આ ગઝની એ બુતશિકાન તરીકે જાણીતો હતો. બુત શિકાન એટલે મૂર્તિઓનો તોડનાર. એ લૂંટારો હતો પણ સામ્રાજ્યવાદી સુલતાન હતો. એ આક્રમણકારી હતો.

પણ એનો સામનો આ ભારત પરના આક્રમણ વખતે અને ખજુરાહો વખતે બુંદેલખંડના ચંદેલ રાજવીએ દ્રઢતાપૂર્વક કર્યો હતો .

જેનું કોઈ પરિણામ તો નહોતું આવ્યું કારણકે ગઝની ત્યાંથી નાસી ગયો હતો. ટેકનિકલી જોઈએ તો ગઝની હાર્યો હતો. ઇતિહાસમાં અમુક જગ્યાએ આ વાત નોંધાયેલી છે. તો એ ગઝનીએ બીજીવાર આક્રમણ કર્યું તો મળતીયાઓએ આને સંધિમાં ખપાવી દીધું.

આ મેં ખજૂરશો પરના લેખમાં નોંધ્યું જ છે પણ ત્યારે આ રાજા વિશે મને મન થયું અને મને થયું કે આ રાજાની વીરતા પર પ્રકાશ તો પાંડવો જ પડે એટલે આ લેખ લખવા પ્રેરાયો છું.

ચંદેલ સમ્રાટ ધંગદેવ વર્મને, જેમણે સુક્તબીન ગઝનીની વિશાળ ૮ લાખ સેનાને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે તેના પૌત્ર વિદ્યાધરના નેતૃત્વમાં ૨૫૦૦૦ વિશેષ સૈનિકોની ટુકડી સાથે જયપાલ શાહિયને મોકલ્યો હતો.

કારણ કે જયપાલ શાહિયએ સમ્રાટ ધંગાને યોગ્ય સમયે માહિતી મોકલી હતી, આ ભયંકર યુદ્ધમાં જેમાં દિલ્હી અજમેર કન્નૌજના રાજપૂત રાજાઓએ પણ લશ્કરી સહયોગ આપ્યો હતો. રાજપૂતોની એકતાવાળી સંયુક્ત સેના આશરે ૧ લાખની હતી. ઘમાસાણ યુદ્ધ થયું જેમાં સુકતબિન પોતાના અધિકાંશ સૈનિકો સાથે માર્યો ગયો
ખજુરાહોના એક અભિલેખમાં સમ્રાટ ધંગને ભુવનાતિભાર હમીર મર્દક કહ્યો છે. જે એમ સ્પષ્ટ છે.

ધંગ જીવતો હતો ત્યારે તુર્કોએ ભારતની અંદર આક્રમણ કરવાની હિંમત કરી ન હતી) ધંગ પછી તેમના પરાક્રમી પુત્ર સમ્રાટ ગંડદેવ વર્મન આવે છે અને ત્યારબાદ તેમના પ્રતિષ્ઠિત પુત્ર સમ્રાટ વિદ્યાધરદેવ વર્મન (ઇસવીસન ૧૦૧૮-ઇસવીસન ૧૦૨૯) ચંદેલ રાજની ગાદી પર બેઠા હતા. તેઓ એક શક્તિશાળી શાસક હતા. ચંદેલ શાસકોમાં તેમના દાદા સમ્રાટ ધંગ અને તેમના પિતા ગંડની જેમ, તેમના પરદાદા યશોવર્મને ચંદેલ શાસકોમાં દિગ્વિજય સમ્રાટ હોવા છતાં કોઈ રાજ્યને તાબે નહોતું કર્યું, આ યશોવર્મનની મહાન મહાનતા હતી!

સમ્રાટ વિદ્યાધર વિશે ખૂબ જ અફસોસ સાથે લખવું પડે છે કે વિદ્યાધરના શાસનકાળની ઘટનાઓનો ઉલ્લેખ આપણા પોતાના લેખકો પાસેથી નહીં પણ તત્કાલીન વિદેશી મુસ્લિમ ઈતિહાસકાર લેખકો ઇબ્લ ઉલ અતહર,ઉલ્બી, અલ બેરૂની, નિઝામુદ્દીનના લખાણોના વર્ણનમાંથી મળે છે. ઉલ-અથર ઉતબી અલબેરુની નિઝામુદ્દીન. જેઓ પોતાનો ફહોલ પીટતાં જ નજરે પડે છે. મારતા જોવા મળશે, પરંતુ તર્કસંગત સમીક્ષા કરીએ તો વિદ્યાધરની સર્વશ્રેષ્ઠતાની ખબર આપણને પડે છે.

મુસ્લિમ લેખકો વિદ્યાધર નો નંદ તથા વિદ્યાના નામોનો ઉલ્લેખ કરે છે.

ઇબ્ન-ઉલ-અતહર લખે છે કે તેમની પાસે સૌથી મોટી સેના હતી અને તેમના દેશનું નામ ખજુરાહો હતું.
અલ્બેરુની કહે છે કે રાજ્યની સરહદ અને સૈનિકોની દ્રષ્ટિએ વિદ્યાધર ભારતના સૌથી મોટા શાસક છે. વિદ્યાધર પાસે ૧૪૫૦૦૦ પાયદળ, ૩૬૦૦૦ ઘોડા, ૩૯૦ હાથીની સાથે એક વિશાળ સેના હતી એવું નિઝામુદ્દીન કહે છે.એણે પણ ભારતીય શાસકોમાં વિદ્યાધરને ઘણાં મોટાં કહ્યાં છે જે વિદ્યાધારનું સર્વશ્રેષ્ઠ હોવાનું પ્રમાણ છે.

વિદ્યાધર રાજા બનતાની સાથે જ મહમૂદ ગઝનવીની આગેવાની હેઠળ યામિની તુર્કોએ હિંદુ રાજાઓ પર હુમલો તેજ કર્યો.અને ઉત્તર ભારતના હિંદુ રાજાઓ ધૂળની જેમ ઉડવા લાગ્યા.

અફઘાનિસ્તાન પંજાબના પરાક્રમી રાજાઓમાં જયપાલે કેટલી બહાદુરીથી સુક્તબીન અને તેના પુત્ર યામિનીદૌલા (મહમુદ ગઝનવી)નો સામનો કર્યો અને રોક્યો હતો.

ભારતમાં આગળ વધીને, જેમાં ભારતના શક્તિશાળી રાજ્યો, અજમેર, દિલ્હી, કન્નૌજ અને કાલિંજર, સમ્રાટ ધંગે તેનની લશ્કરી સહાયથી તુર્કોને સફળતાપૂર્વક દબાવી દીધા. પરંતુ એક દગાથી જયપાલ શાહિયનો કિલ્લો ઢેર થઈ ગયો. પરંતુ બહાદુર ચંદેલા શાસક વિદ્યાધર તુર્કોથી ડર્યા નહીં અને તુર્કોને મજબૂત ખડકની જેમ સામનો કરવા માટે ખૂબ બહાદુરીથી પ્રસ્તુત કર્યા.

ઇસવીસન ૧૦૧૮માં મહમૂદ ગઝનીએ કન્નૌજના પ્રતિહાર શાસક રાજ્યપાલ પર હુમલો કર્યો. રાજ્યપાલે લડ્યા વિના નિર્ભયપણે શરણાગતિ સ્વીકારી અને મહમૂદ ગઝનવી ઘણાં પૈસા લઈને કન્નૌજ મથુરાને લૂંટીને ગઝની પાછો ફર્યો.

જ્યારે વિદ્યાધરને આ ઘટનાની જાણ થઈ ત્યારે તે ખૂબ જ ગુસ્સે થયો અને તેને ક્ષત્રિય ધર્મનું અપમાન માન્યું.

કારણ કે અસમર્થ પ્રતિહાર શાસક પાસે વિશાળ સૈન્ય ધરાવતું હોવાં છતાં પણ યુદ્ધ લડ્યા વિના, શરણાગતિનું કારણ પૂછ્યું ન હતું અને કોઈ મદદ માંગી ન હતી, અને આ કારણે તે ગુસ્સે થયો હતો. તેમણે રાજ્યપાલને સજા કરવાનું નક્કી કર્યું હતું.

મુસ્લિમ લેખક ઇબ્ન-ઉલ-અતહર કહે છે કે વિદ્યાધરે કનૌજ પર હુમલો કર્યો અને લાંબા યુદ્ધ પછી ત્યાંના રાજા રાજ્યપાલને મારી નાખ્યો કારણ કે તે મુસ્લિમો સામે ભાગી ગયો હતો અને તેમનું રાજ્ય તેમને સોંપી દીધું હતું. આ વર્ણનને સામંતશાહી લખાણો અને અભિલેખો દ્વારા પણ સમર્થન મળે છે.

ગ્વાલિયરના કચવાહા રાજાઓ ચંદેલોના સામંત હતા. આ વંશના વિક્રમ સિંહના દુબકુંડ શિલાલેખ (ઇસવીસન ૧૦૮૮) પરથી જાણવા મળે છે કે તેમના પૂર્વજોમાંના એક અર્જુને કન્નૌજના રાજા વિદ્યાધર વતી યુદ્ધ કર્યું હતું.

!! હિંદુત્વ ધર્મ યુગે યુગે !!
!! જય ભારત વર્ષ !!
!! જય આર્યાવર્ત !!
!! હર હર મહાદેવ !!

—————— જનમેજય અધ્ધવર્યું.

error: Content is protected !!