ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ

લક્ષ્મીભાઈનો જન્મ ૧૮૨૮માં વારાણસીના મરાઠી પરિવારમાં થયો હતો. તેમના બાળપણનું નામ મણિકર્ણિકા હતું અને લોકો તેમને પ્રેમથી ‘મનુ’ કહીને બોલાવતાં હતાં. તેમના પિતાનું નામ મોરોપંત તાંબે હતું અને માતાનું નામ ભગિરથી બાઈ હતું. તેમના માતાપિતા મહારાષ્ટ્રમાંથી આવ્યા હતા. જ્યારે મનુ ચાર વર્ષની હતી ત્યારે તેમની માતા મૃત્યુ પામ્યા હતા. તેમના પિતા બિઠુર જિલ્લામાં પેશ્વાના દરબારમાં કામ કરતાં હતા. પેશ્વાએ મનુને પોતાની પુત્રીની જેમ પાળી હતી. પેશ્વાને તેમને છબીલી કહીને બોલાવતાં હતાં. તેમનું શિક્ષણ ઘરે જ થયું હતું અને તેમના બાળપણમાં તેમણે નિશાનેબાજી, ઘોડેસવારી અને તલવારબાજી શીખી લીધી હતી !!!!.

મણિકર્ણિકાએ ૧૮૪૨માં ઝાંસીના મહારાજા ગંગાધર રાવ નેવલકર સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન પછીથી જ તેમને હિન્દુ દેવી લક્ષ્મીના નામ પર લક્ષ્મીભાઈ કહીને બોલાવવામાં આવતાં હતાં. ૧૮૫૧માં માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો. દામોદર રાવ નામનું નામ હતું. પરંતુ કમનસીબે તેઓ માત્ર ચાર મહિનામાં મૃત્યુ પામ્યા હતા. રાણી લક્ષ્મીબાઈ ઘણા દિવસો સુધી ફૂખી રહ્યાં પછી મહારાજે પોતાના પિતરાઈ ભાઈના પુત્ર આનંદ રાવને દત્તક લીધો. પછીનું નામ બદલીને દામોદર રાવ રાખવામાં આવ્યું હતું. દામોદર રાવે તેમના નામકરણના એક દિવસ પહેલાં જ તે મૃત્યુ પામ્યો. રાણી લક્ષ્મીભાઈએ પ્રથમ પુત્રનના શોકમાંથી હજી સુધી બહાર આવ્યાં ન હતાં. અને વળી આ બીજુ દુખ ઉભું રહ્યું !!! પરંતુ લક્ષ્મીબાઈએ હિંમત રાખી …….

મહારાજાના મૃત્યુ પછી, તત્કાલીન ગવર્નર જનરલે દામોદર રાવને અનુગામી બનાવવા માટે ઇનકાર કર્યો હતો કારણ કે દામોદર એક દત્તક બાળક હતા અને બ્રિટીશ નિયમો અનુસાર, સિંહાસનનો વારસદાર પોતાના વંશનો પોતાનો જ પુત્ર બની શકે !!!! ૧૮૫૪માં લક્ષ્મીભાઈને ૬૦,૦૦૦ રૂપિયાનું પેન્શન આપીને કિલ્લો છોડીને જવાનો આદેશ આપવામાં આવ્યો. અંગ્રેજ લોકો તેમને નામથી ના બોલાવીને ઝાંસીની રાણી કહીને બોલાવતાં હતાં. આ એજ નામ છે ………. જે પાછળથી ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવ્યું હતું ૧૮૫૭ માં, રાણી લક્ષ્મીબાઈ પોતાનાં ઘોડા બાદલ પર બેસીને કિલ્લામાંથી રવાના થઇ ગઈ !!!!

૧૮૫૭ ની શરૂઆતમાં અફવા ફેલાઈ કે પૂર્વ ભારત કંપની (ઇસ્ટ ઇન્ડિયા કંપની) માટે યુદ્ધ કરનાર સૈનિકોની બંદૂકના કારતૂસમાં ગાય અને ડુક્કમનુ માંસ ભેળવવામાં આવે છે. આથી, ધાર્મિક લાગણી દુ:ખી થઈ અને દેશભરમાં બળવો શરૂ થયો. ૧૦ મે ૧૮૫૭ના રોજ મેરઠમાં ભારતીય બળવો શરૂ થયો. જ્યારે આ સમાચાર ઝાંસી સુધી પહોંચ્યો ત્યારે રાણી લક્ષ્મીભાઈએ બ્રિટીશ અધિકારીને આપ્યો. પોતાની સલામતી માટે સૈનિકોની માગણી કરી અને તેઓ સંમત પણ થઇ ગયાં થોડાં દિવસો સુધી રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીની બધી સ્ત્રીઓને એ વિશ્વાસ આપતાં રહ્યાં કે અંગ્રેજો તો ખરેખર ડરપોક છે અને તેમનાથી ના ડરવું જોઈએ કોઈએ પણ !!!! અને તેમનો ડર ન હોવા જોઈએ. બળવાખોરોથી ઝાંસીને બચાવવા માટે, બ્રિટિશરો વતી રાણી લક્ષ્મીબાઈને ઝાંસીનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

અમુક સમય માટે, લક્ષ્મીભાઈ બ્રિટિશરો વિરુદ્ધ બળવો કરવા માટે તૈયાર ન હતા. પરંતુ ૧૮૫૭ના સપ્ટેમ્બર -ઑક્ટોબર દરમિયાન, રાણીએ ઝાંસીને પડોશી રાજાઓને સેનાના આક્રમણથી બચાવ્યાં !!!! અંગ્રેજોની સેના ઝાંસીની સ્થિતિ સંભાળવા ત્યાં પહોંચી ……. પરંતુ પહોંચતાની સાથે તેમણે જોયું કે —– ઝાંસીને તો ભારે તોપો અને સૈનિકો દ્વારા સુરક્ષિત કરી લેવામાં આવ્યું હતું !!!! બ્રિટીશસે શરણાગતિ માટે રાણી લક્ષ્મીબાઈને કહ્યું હતું, પરંતુ તેમણે ઇન્કાર કર્યો હતો. રાણીએ જાહેરાત કરી હતી “અમે સ્વાતંત્ર્ય માટે લડત કરીશું, જો આપણે ભગવાન કૃષ્ણના શબ્દોમાં જો આપણે જીતી ગયાં તો ——- જીતનો ઉત્સવ મનાવીશું અને ભૂલેચૂકે જો હારી ગયાં કે રણભૂમિમાં માર્યા ગયાં તો આપણને અવિનાશી યશ અને મોક્ષ મળશે ” તેમણે અંગ્રેજો સામે બચાવ અભિયાન શરૂ કરી દીધું !!!!!

જાન્યુઆરી ૧૮૫૮માં, બ્રિટિશ સેના ઝાંસી તરફ પ્રયાણ કરી ગઈ. અંગ્રેજોના સૈન્યે ઝાંસીને ઘેરી લીધું. માર્ચ ૧૮૫૮ માં અંગ્રેજોએ ભારે તોપમારો શરૂ કરી દીધો …… મદદ માટે લક્ષ્મીબાઈએ તાત્યા ટોપેને અપીલ કરી અને ૨૦,૦૦૦ સૈનિકો સાથે, તાત્યા ટોપે બ્રિટિશરો સાથે લડયા પણ તે પરાજિત થઇ ગયાં. તાત્યા ટોપે સાથેની લડાઇ દરમિયાન, બ્રિટિશ સેના ઝાંસી તરફ કુચ કરી રહી હતી અને ઝાંસીને ઘેરી રહી હતી ……… અંગ્રેજોની ટુકડી હવે કિલ્લામાં પ્રવેશ કરી ગઈ !!!! અને એમનાં માર્ગમાં વચ્ચે આવનાર દરેક પુરુષ કે સ્ત્રીને તે મારતી રહી !!!!

તેમની વચ્ચેની લડાઈ બે અઠવાડિયા સુધી ચાલુ રહી અને અંતે અંગ્રેજોએ ઝાંસી પર અંકુશ મેળવ્યો. જોકે રાણી લક્ષ્મીબાઈ કોક રીતે પોતાના ઘોડા બાદલ પર બેસીને પોતાના પુત્રને પોતાની પીઠપર બાંધીને કિલ્લામાંથી બચી નીકળી …….. પરંતુ તેમનો પ્રિય ઘોડો બાદલ રસ્તામાં જ મૃત્યુ પામ્યો. તેમણે કાલપીમાં આશ્રય લીધો. જ્યાં રાણી લક્ષ્મીબાઈની મુલાકાત મહાન યોધ્ધા તાત્યા ટોપે સાથે થઇ
૨૨ મેના રોજ, બ્રિટીશરો કાલપી પર હુમલો કર્યો અને રાણી લક્ષ્મીબાઈના નેતૃત્વમાં તાત્યા ટોપેની સેના ફરીથી હારી ગઈ !!!! એક વાર વળી પાછું ……. રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને ગ્વાલિયર તરફ ભાગવું પડ્યું !!!!

૧૭ જૂને ગ્વાલિયરના યુદ્ધમાં રાણી લક્ષ્મીબાઈ વીરગતિ પામી ગઈ. ત્રણ વર્ષ પછી અંગ્રેજોએ ગ્વાલિયરના કિલ્લાને કબજે કર્યો. બ્રિટીશરો પોતે રાણી લક્ષ્મીભાઈને બહાદુર યોદ્ધા તરીકે ઓળખાવતા હતા. જે મારતા સુધી છેલ્લાં શ્વાસ સુધી લડતી રહી !!! એવું માનવામાં આવે છે કે જ્યારે તેઓ યુદ્ધભૂમિમાં બેભાન હતાં. ત્યારે એક બ્રાહ્મણે તે જોયું અને તેને તેના આશ્રમમાં લાવ્યા જ્યાં રાણી લક્ષ્મીબાઈનું મૃત્યુ થયું…….
તેમના આ સાહસિક કાર્ય માટે એમને ભારતીય સ્વતંત્રતા આંદોલનની વીર સ્ત્રી તરીકે ઓળખાવાં લાગ્યાં. રાણીનો મુખ્ય હેતુ તેના દત્તક પુત્રને સિંહાસન પર બેસાડવાનો હતો. !!!!!

ભારતમાં વીરાંગનાઓ તો ઘણી થઇ છે. અંગ્રેજો પહેલાં પણ અને ત્યાર પછી પણ. પરંતુ અંગ્રેજોની કુટિલ રાજનીતિ અને આધુનિક શસ્ત્રો સામે માત્ર તલવારથી મુકાબલો કરનાર તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી વીરાંગના તો માત્ર એક અને એક જ !!! એમાં કોઈ શંકાને સ્થાન નથી !!!!

શત શત નમન આ વીરાંગના ને !!!!!

———- જનમેજય અધ્વર્યુ

error: Content is protected !!