★ ભગવાન પરશુરામ ★

એક લોકપ્રિય શ્લોક છે,

આશ્વસ્થામા બલિવ્યાર્સો હનુમાંન્શ્વ વિભીષણ : |
કૃપ: પરશુરામશ્વ સપતૈતે ચિરજજીવિન : ||

પરશુરામ રાજા પ્રસેનજિતની પુત્રી રેણુકા અને ભ્રુગુવંશીય જમદગ્નિ નાં પુત્ર હતાં. એ વિષ્ણુના અવતાર અને ભગવાન શિવના પરમ ભક્ત હતાં. એમાં ભગવાન શિવજી પાસેથી એમને વિશેષ પરશુ પ્રાપ્ત થયું હતું. એમનું નામ તો રામ હતું !!!! પરતું ભગવાન શિવજી પાસેથી પ્રદત્ત: અમોધ પરશુને સદૈવ ધારણ કરતાં રહેવાને કારણે એ પરશુરામ કહેવાયા. ભગવાન પરશુરામ એ વિષ્ણુના અવતારોમાં છઠ્ઠા અવતાર હતાં. જે વામન અને રામચંદ્રજીની વચમાં ગણાય છે. જમદગ્નિના પુત્ર હોવાના કારણે એ જામદગ્નેય પણ કહેવાતાં હતાં !!! એમનો જન્મ અક્ષય તૃતીય (વૈશાક શુક્લ તૃતીયા) એ થયો હતો !! પરંપરા અનુસાર એમણે ક્ષત્રિયોનો અનેકોવાર વિનાશ કર્યો હતો !!! ક્ષત્રિયોના અહંકાર્પૂર્ણ દમણથી વિશ્વને મુક્તિ અપાવવાં એમનો જન્મ થયો હતો !!!!

ભગવાન પરશુરામ જન્મ કથા ———

ભગવાન પરશુરામ ના પિતામહ (દાદા) મહાન ઋષિ રુચિકા હતાં જેઓ એક પ્રસિદ્ધ ઋષિ ભૃગુ નાં પુત્ર હતાં. એક દિવસ ઋષિ રુચિકા પોતાનાં માટે વધુની ખોજમાં નગરની બહાર ભ્રમણ કરવાં નીકળ્યાં…….. એ સમયે વે વાંદ જ પ્રમુખ હતાં. ભરત સુર્યવંશ અને ચન્દ્રવંશ !!! ચંદ્ર વંશમાં ગધી નામે એક રાજા હતો. જેને સરસવતી નામની એક પુત્રી હતી. જેનો વિવાહ નહોતો થયો !!!! રુચીકાએ એ નગરમાં પ્રવેશ કર્યો અને રાજકુમારીને બે દાસીઓ સાથે બહાર આવતાં જોઈ ઋષિ એ રાજ્કુમાંરીઓને જોઇને મંત્રમુગ્ધ થઇ ગયાં અને પછીનાં દિવસે એ રાજાનાં દરબારમાં પહોંચી ગાયાં !!!

રુચિકાએ દરબારમાં પોતાનો પરિચય આપ્યો —–
” મહારાજ મારું નામ રુચિકા છે ……..હું ચવન્યનો પુત્ર છું !!!રાજાએ ઋષિનું સ્વાગત કર્યું અને નગરમાં આવવાનો ઉદ્દેશ પૂછ્યો.
ઋષીએ ઉત્તર આપ્યો ——
” મહારાજ કાલે મેં તમારી પુત્રીને જોઈ , એ બહુજ સુંદર અને ગુણવાન છે. હું ઋષિ છું અને પોતાનાં તપથી હું આપની પુત્રીને ખુશ રાખી શકીશ. જો આપને કોઈ આપત્તિ ના હોય તો હું આપનીપુત્રી સાથે વિવાહ કરવાં માંગું છું !!!!

રાજા ગધી આ સંભાળીને સ્તબ્ધ જ થઇ ગયો !!!!
કારણકે એણે પોતાની પુત્રી માટે એવાં વરની કામના કરી નહોતી કરી. એમનાં મહેલમાં રહીને મોટી થયેલી એમની એ પુત્રી એક સન્યાસી સાથે કેવી રીતે રહી શકે ?
પરતું એ ઋષિને ના પણ નહોતો પાડી શકતો
હવે રાજાએ ધૂર્તતાથી ઋષિની તરફ જોયું અને કહ્યું ——–

” ઋષિવર ……. હું મારી પુત્રીનો વિવાહ આપણી સાથે કરાવીને ધન્ય થઇ જઈશ.
પરંતુ મારી દીકરીને વિદાય કરતાં પહેલાં આપ મને કાળાં કાનવાળાં એક હજાર ઘોડા ભેટ આપો !!!”
રાજા આશ્વસ્ત હતો કે ઋષિ આવા દસ ઘોડા પણ નહીં શોધી શકે !!!!

હવે નિરાસ ઋષિ રુચિકા નગર છોડીને ભગવાન વરુણની તપસ્યા કરવાં લાગ્યાં. એમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને વરુણદેવ પ્રગટ થયાં અને એમને વરદાન માંગવાનું કહ્યું
ઋષિએ સમુદ્રના દેવતાવરુણદેવને એક કાળાં કાનવાળાં એક હજાર ઘોડાઓનું વરદાન માંગ્યું !!! વરુણદેવે વરદાન આપીને એ ઘોડાઓ ઋષિને આપી દીધાં !!! હવે એ ઘોડાઓ લઈને રાજા ગધી પાસે ગયાં અને એમની સાથે એક. હજાર ઘોડાઓ જોઇને રાજા આશ્ચર્યચકિત થઇ ગયો !!! હવે એની પાસે કોઈજ વિકલ્પ નહોતો બચ્યો એટલે એણેપોતાની પુત્રીનો વિવાહ ઋષિ રુચિકા સાથે કરી દીધો !!!!

સર્વેને અચરજ પમાડીને સત્યવતી એ ઋષિ સાથે એમની સાથે કુટિરમાં જીવન જીવવાં લાગી. આશ્રમના બધાં લોકો એને સ્નેહથી રાખતાં હતાં. પરતું એને એક જ ચિંતા સતાવતી હતી ………
ઋષિ રુચિકા જયારે પોતાની પત્નીને પરેશાન જોઈ ત્યારે એમણે એને પરેશાનીનું કારણ પુછ્યું.
સત્યવતીએ ઋષિને બતાવ્યું કે એમનાં પિતા માટે ચિંતિત છે
કારણકે એ એમની એકનીએક પુત્રી હતી !!!! અને પિતા એમનાં પિતા પછી સામ્રાજ્ય સંભાળવાવાળું કોઈ જ નહોતું !!!

Parshuram

ઋષીએ સત્યવતીને કહ્યું ——
” જો તે મને પહેલેથી જ આ પરેશાની બતાવી હોત તો તો એને હું પહેલાં જ સુલઝાવી દેત !!!”
પોતાની ધ્યાનશક્તિથી એમણે બે ઔષધીઓ બનાવી અને એને પોતાની પત્નીને આપી
અને પછી કહ્યું —–
” આ ઔશધિઓ પોતાની માં ને આપી દેજે અને એની શક્તિથી જે સંતાન ઉત્પન્ન થાય એ બહુજ શક્તિશાળી હશે !!!!
આમાંથી એક વડે મહાન ઋષિનો જન્મ થશે
અને બીજી ઔષધિથી એક મહાન યોદ્ધાનો જન્મ થશે !!!!
તું યોદ્ધાવાળી ઔષધિપોતાની માં ને આપજે જેનાથી એમને શુરવીર યોદ્ધો પેદા થશે !!!”
સત્યવતીએ એ બંને ઔષધિઓ પોતાની માં ને આપી દીધી અને એની શક્તિઓ વિષે પણ પોતાની માતાને જ્ઞાત કરી !!!!
અને ઔષધિઓ વિષે પણ કહ્યું
એને યોધ્ધાઓવાળી ઔષધી પોતાની માને આપવાનું કહ્યું અને બીજી સત્યવતીને પોતાની પાસે રાખવાનું કહ્યું !!!

સત્યવતીની માંને સંદેહ થયો
કારણકે એને ઋષિ પર જરાય વિશ્વાસ નહોતો બેસતો એને વિચાર્યું કે બીજી ઔષધિથી એને શુરવીર પુત્ર પેદા થશે
એટલે એણે ઔષધિ બદલી નાંખી !!!
સરસ્વતીએ યોદ્ધાવાળી ઔષધિ પી લીધી અને એની માં ને ઋષિવાળી ઔષધિ આપી જે એમણે પી લીધી.
ગધીની પત્નીને એક પુત્ર થયો જેનું નામ કૌશિકા હતું
હિંદુ પુરાણોમાં કૌશિકા બહુજ પ્રસિદ્ધ છે !!!!
કૌશિકાએ કામધેનુ ગાય માટે ઋષિ વશિષ્ઠ જોડે લડાઈ કરી હતી. પરતું ઋષિ વશિષ્ઠના તપ આગળ એ હારી ગયો હતો !!!!
આશાહીન કૌશિકા પોતાનું રાજ-પાટ ત્યાગીને સાધુ બનવાનું પ્રણ લીધું
કૌશિકા એક મામુલી સાધુ નહોતો.
એણે કઠોર તપસ્યા કરી અને એ બ્રહ્મૃઋષિ વિશ્વામિત્ર બન્યો !!!!
ઋષિ રુચિકાની શક્તિઓને કારણે તેઓ એક શક્તિશાળી ઋષિ બની ગયાં !!!

બીજી તરફ સત્યવતી જયારે ગર્ભવતી બની
ત્યારે ઋષિ રુચિકા અચરજમાં પડી ગયાં
કારણકે એમની પત્નીએ પીવાની દિવ્ય જયોતિ એ નહોતી !!!
જેવી એમને અપેક્ષા રાખી હતી !!!!
એમણે પોતાની પત્ની તરફ જોઇને કહ્યું
” પ્રિયે ……. તારા ગર્ભમાં ઉછરી રહેલાં બાળકમાં એક ઋષિ જેવી દિવ્યજયોતિ નથી પણ એક યોધ્ધા જેવું તેજ છે !!!”
સત્યવતી આ સાંભળીને ચોંકી ગઈ અને એણે આ બાબતમાં વિચાર કર્યો તો એને ખબર પડી કે આ બધું એની માંના કારણે થયું છે !!!

સત્યવતીએ ઋષિ રિચિકાને કહ્યું
“મારે એક યોદ્ધા જેવું સંતાન ના જોઈએ
આપ એને કૃપા કરીને બદલી નાખો
મારે એક યોધ્ધાની માં નથી બનવું !!!!
હું એને આપણા જેવો જોવાં માંગું છું ”
ઋષિ રુચીકાએ નિરાશ થઈને પોતાની પત્નીને જોઇને માથું હલાવીને કહ્યું
” જો તું કહે છે તો હું એવું કરી શકું છું જે થી એ યોદ્ધો ના બને
પણ ….. હું એની શક્તિઓને પાછળની પેઢીમાં મોકલી શકું છું
જો તારો પુત્ર નહિ તો તારો પૌત્ર એક યોદ્ધો જરૂર બનશે !!!”
સત્યવતી સહમત થઇ ગઈ !!!!

ઋષીએ એમની પત્નીને એક ફળ ખાવાનું કહ્યું.
જેનાથી એ પુત્રમાં યોદ્ધાવાળી શક્તિઓ નહી રહે !!!!
રુચિકા અને સત્યવતીને એક પુત્ર થયો એનું નામ જમદગ્નિ હતું !!!!
એ પણ એક મહાન સન્યાસી હતાં.
જેમને સંસારના સપ્તર્ષિ ઓમાંનાં એક માનવામાં આવે છે !!!!
પરંતુ રુચિકાના કઠન અનુસાર એમની શક્તિઓ એમની પછીની પેઢીમાં જોવાં મળવાની હતી.
જમદગ્નિ ને ત્યાં ભગવાન પરશુરામનો જન્મ થયો.
રુચિકાની શક્તિઓને કારણે એ સંસારનો સૌથી મહાન યોદ્ધો બન્યો !!!

એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુનાં અવતારનો જન્મ સંસારના બધાં રાજાઓને સમાપ્ત કરવાં માટે થયો હતો
જેઓ અભિમાની અને પાખંડી હતાં !!!!

જમદગ્નિની પત્ની રેણુકાને પરશુરામ પહેલાં ૪ પુત્રો હતાં.

[૧] વાસુ
[૨] વિસ્વાસુ
[૩] બૃહધાનું
[૪] બૃતવાકંવા

પાંચમાં અને સૌથી નાના પુત્ર પરશુરામ થયાં

પાંચમાં પુત્રનાં જન્મ પહેલાં જમદગ્નિએ પોતાની પત્ની સાથે તપ કર્યું હતું.
જેનાથી એમનાં સૌથી નાનાં પુત્રનો જન્મ થયો.
જેમનું નામ એમને રામચંદ્ર રાખ્યું ……
રામ એક શક્તિશાળી યોવન સાથે મોટો થયો અને પોતાના પિતાના શિક્ષણના કારણે એ પણ એમનાં જેવો જ ધનુર્ધારી બન્યો.
પરશુરામ ગંધમદન પર્વત પર ગયાં અને ભગવાન શિવજીને પ્રસન્ન કરવાં માટે કઠોર તપસ્યા કરવાં લાગ્યાં !!!

ભગવાન શિવજીએ એમને પ્રસન્ન થઈને એક વરદાન માંગવાનું કહ્યું અને પરશુરામે દિવ્ય શસ્ત્રો અર્પણ થાય એવું વરદાન માંગ્યું !!!! શિવજીએ બતાવ્યું કે એ એમને એ વરદાન ત્યારે જ આપશે જયારે એ પોતાની યોગ્યતા સાબિત કરે !!! કંઈ કેટલાંય વર્ષો ની તપસ્યા પછી ભગવાન શિવજી ફરીથી પ્રગટ થયાં અને પરશુરામને દેવો ના એકશત્રુ દૈત્યો અને દાનવોનો વિનાશ કરવાનો આદેશ આપ્યો !!!! દૈત્યો અને દાનવોના વિનાશ કર્યા પછી પરશુરામે પોતાની યોગ્યતા સિદ્ધ કરી દીધી અને ભગવાન શિવ પાસેથી એ અસ્ત્રો પ્રાપ્ત કરી લીધાં !!!

પરશુરામ ક્ષત્રિયોચિત આચાર -વિચારવાળો પુત્ર હતો
એકવાર સદ્યસ્રાતા રેણુકા રાજા ચિત્રરથ પર મુગ્ધ થઇ ગઈ
એના આશ્રમ પહોંચ્યા પછી મુનિને દિવ્ય જ્ઞાનથી સમસ્ત ઘટનાથી જ્ઞાત થઇ ગયાં
એમને ક્રોધાવેશમાં એક પછી એક એમ ચારેય પુત્રોને માની હત્યા કરવાનું કહ્યું
પરંતુ કોઈ જ તૈયાર ના થયું !!!!
જમદગ્નિએ પોતાનાં ચારેય પુત્રોને જડબુદ્ધ થઇ જવાનો શ્રાપ આપ્યો
પરશુરામે તરત જ પિતાની આજ્ઞાનું પાલન કર્યું.
જમદગ્નિએ પ્રસન્ન થઈને એને વરદાન માંગવાનું કહ્યું.
પરશુરામે પહેલાજ વરદાનમાં માનું પુન: જીવન માંગ્યું અને પોતાના ચારેય ભાઈઓને ક્ષમા કરી દેવાનું કહ્યું !!!
જમદગ્નિ ઋષિએ પરશુરામને કહ્યું કે તે અમર રહશે !!!!
એક દિવસ જયારે પરશુરામ બહાર ગયાં હતાં તો કાર્તવીર્ય અર્જુન એમની કુટિર પર આવ્યાં
યુધ્ધના મદમાં એમને રેણુકાનું અપમાન કર્યું
તથા એમનાં વાછરડાઓનું હરણ કરીને લઇ ગયો !!!
ગાય ભાંભરતી રહી ગઈ !!!!
પરશુરામને જયારે આ વાતની ખબર પડી તો
એમણે સાહસ્ત્રબાહુ હૈહયરાજને મારી નાંખ્યા.
હૈહયરાજના પુત્રે આશ્રમ પર ચડાઈ કરી
અને પરશુરામની અનુપસ્થિતિમાં મુનિ જમદગ્નિને મારી નાંખ્યા
પરશુરામ જયારે ઘરે પહોંચ્યા તો એ બહુજ દુખી થઇ ગયાં
અને પૃથ્વી પરથી ક્ષત્રિય રાજા ઓનું નામોનિશાન મિટાવી દેવાનો સંકલ્પ કર્યો !!!!
અત: પરશુરામે એકવીસવાર પૃથ્વી પરથી સમસ્ત ક્ષત્રિય રાજા ઓનો સંહાર કર્યો.
સમંત પંચક ક્ષેત્રમાં પાંચ રુધીરના કુંડ ભરી દીધાં.
ક્ષત્રિયોના રુધિરથી પરશુરામે પોતાનાં પિતૃઓનું તર્પણ કર્યું.
એ સમયે રૂચિક શાક્ષાત પ્રગટ થયાં
તથા એમને પરશુરામને એમ કરવાથી રોક્યા !!!
ઋષિઓને દક્ષિણામાં પૃથ્વી પ્રદાન કરી
બ્રાહ્મણોએ કશ્યપની અગનથી એ વેદીને ખંડ કરીને વહેંચી લીધાં. અત: બ્રાહ્મણ જેમણે વેદીને પરસ્પર વહેંચી લીધાં હતાં તેઓ ખાંડવાયન કહેવાયાં !!!

અંતમાં પરશુરામે પિતૃઓની આકાશવાણી સાંભળીને એમને ક્ષત્રિયો સાથે યુદ્ધ કરવાનું છોડી દઈને તપસ્યા કરી અને ધ્યાનમાં બેસી ગયાં !!!
રામાવતારમાં રામચંદ્ર દ્વારા શિવના ધનુષ્યને તોડવાં પર ક્રોધિત થઈને આવ્યાં હતાં. એમણે પરીક્ષા માટે એમનું ધનુષ રામચન્દ્રજીને આપ્યું. જ્યારે રામે ધનુષ ચઢાવી દીધું તો પરશુરામ સમજી ગયાં કે રામચંદ્રજી વિષ્ણુના અવતાર છે
એટલાં માટે એમની વંદના કરીને તેઓ તપસ્યા માટે ચાલ્યા ગયાં

કહિજય જય જય રઘુકુલ કેતુ ।
ભુગુપતિ ગયે વનહિ તપ હેતુ ॥

આ વર્ણન ” રામચરિત માનસ પ્રથમ સોપાનમાં ૨૬૭ થી ૨૮૪ સુધીનાં દોહાઓમાં મળે છે !!!

રામના પરાક્રમની પરીક્ષા ———–

રામનાં પરાક્રમ સાંભળીને એ અયોધ્યા ગયાં.
દશરથે એમનાં સ્વાગતાર્થે રામચંદ્રને મોકલ્યાં.
એમને જોતાજ પરશુરામે એમની પરીક્ષા લેવાની ઈચ્છા પ્રગટ કરી અત: એમને ક્ષત્રિય સંહારક દિવ્યધનુષની પ્રત્યંચા ચઢાવવાનું કહ્યું.
રામના એવું કરી લીધાં બાદ એમને ધનુષ્ય પર એક બાણ ચઢાવીને બતાવવાનું કહ્યું.
રામે એ બાણ ચઢાવીને પરશુરામના તેજ પર છોડી દીધું
બાણ એમનું તેજ છીનવી લઈને પુન : રામ પાસે આવતું રહ્યું
રામે પરશુરામને દિવ્યદ્રષ્ટી આપી. જેનાથી એમણે રામના યથાર્થ રૂપના દર્શન કર્યાં.
પરશુરામ એક વર્ષ લજ્જિત, તેજહીન તથા અભિમાનશૂન્ય થઈને તપસ્યામાં લાગ્યાં રહ્યાં !!!
તદનંતર પિતૃઓ દ્વારા પ્રેરણા લઈને વાધૂસ્રર નામક નદીમાં તીર્થ સ્નાન કરીને પોતાનું તેજ પુન: પ્રાપ્ત કર્યું !!!!

પરશુરામ કુંડ ———–

આસામ રાજ્યની ઉત્તર-પૂર્વીય સરહદમાં જ્યાં બ્રહ્મપુત્ર નદી ભારતમાં પ્રવેશ કરે છે, ત્યાં પરશુરામ કુંડ છે, જ્યાં તેમણે ધ્યાન દ્વારા ભગવાન શિવ પાસેથી પરશુ પ્રાપ્ત કર્યું હતું અને અહીંજ એને વિસર્જિત પણ કર્યું હતું.
પરશુરામજી પણ સાત ચિરંજીવીમાના એક છે
એમનો પાઠ કરવાથી દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે
પરશુરામ કુંડ નામના તીર્થસ્થાનો માં ૫ કુંડો બનેલાં છે
ભગવાન પરશુરામે સમસ્ત ક્ષત્રિયોનો સંહાર કરીને આ કુંડોની સ્થાપના કરી હતી.  તથા પોતાના પિતૃઓઓ દ્વારા વર પ્રાપ્ત કર્યાં હતાં કે જેથી તેઓ ક્ષત્રિય સંહારના પાપથી મુક્ત થઇ જાય !!!

રામકથામાં પરશુરામ ——–

ચાર પુત્રોના લગ્ન પછી, રાજા દશરથ, તેમના વિશાળ સૈન્ય અને પુત્રો સાથે, અયોધ્યા પુરી ચાલી નીકળ્યાં.
માર્ગમાં અત્યંત તેજસ્વી મહાત્મા પરશુરામ મળ્યાં ……..
તેમણે રામને કહ્યું કે તેમણે પોતાની શકિતશાળી વાર્તા સાંભળી છે, પરંતુ રામ તેના હાથથી ધનુષ ચાલાવીને બતાવે …….
તેમના પરાક્રમથી સંતુષ્ટ થયા પછી, તેમણે દ્વંદ્વયુદ્ધ યુદ્ધ માટે રામને આમંત્રણ આપ્યું.
દશરથ, ઘણા પ્રયત્નો પછી પણ બ્રાહ્મણદેવ પરશુરામને શાંત કરી શક્યાં નહીં ……..
પરશુરામે જણાવ્યું હતું કે વિશ્વકર્માએ બે અત્યંત શ્રેષ્ઠ ધનુષ્ય ધારણ કર્યા હતા.
તેમાંના એક ભગવાન શિવ દ્વારા અને બીજું વિષ્ણુને !!!!
એકવાર દેવો ના પૂછવા પર કે શિવ અને વિષ્ણુમાં કોણ બળવાન છે અને કોણ નિર્બળ – બ્રહ્માએ તફાવતો સ્થાપિત કર્યા છે.
પરિણામે, વિષ્ણુના ધનુષના ટંકાર સામે શિવ ધનુષ શીથીલ પડી ગયું !!! એટલે, આ ધનુષથી પરાક્રમની વાસ્તવિક કસોટી થઈ શકે છે.
શાંત થયાં પછી શિવજીએ પોતાનું ધનુષ વિદેહ વંશજ દેવારતને અને ભગવાન વિષ્ણુ એ પોતાનું ધનુષ ભૃગુવંશી રૂચિકને ધરોહરના રૂપમાં આપી દીધું.
જે મારી પાસે સુરક્ષિત છે !!!!

રામ ગુસ્સે થઈ ગયાં અને તેના હાથ દ્વારા તેને એક ધનુષ્ય આપ્યા અને કહ્યું –
‘વિષ્ણુનાબાણ વેડફાઇ શકતા નથી હવે તેનો ઉપયોગ ક્યાં કરવો. ‘
પરશુરામનું બળ તરત જ અદ્રશ્ય થઇ ગયું.
તેમના નિવેદન મુજબ રામે બાણનો પ્રયોગ પરશુરામના તપોબળથી જીતેલાં અનેક લોકો પર કર્યો જેઓ નષ્ટ થઇ ગયાં !!!
પરશુરામે કહ્યું,
‘હે રામ, તમે ચોક્કસપણે વિષ્ણુ છો.’
અને પરશુરામે મહેન્દ્ર પર્વત તરફ પ્રસ્થાન કર્યું !!!
રામ વગેરે અયોધ્યા તરફ ગયા. તેઓએ વરૂણ દેવને આ ધનુષ આપ્યું . પરશુરામની છોડેલી સેનાએ પણ રામ અને અન્ય સાથે પ્રસ્થાન કર્યું !!!

પરશુરામ અને યજ્ઞ ——

પરશુરામે પોતાનાં જીવનકાલ દરમિયાન અનેક યજ્ઞો કર્યાં હતાં. યજ્ઞો કરવાં માટે એમણે ૩૨ હાથ ઉંચી સોનાની વેદી બનાવી હતી. મહર્ષિ કશ્યપે દક્ષિણમાં પૃથ્વી સહિત એ વેદીઓ ને લઇ આવ્યાં અને ફરીથી પરશુરામને પૃથ્વી છોડીને જતાં રહેવાનું કહ્યું. ભગવાન પરશુરામે સમુદ્રથી પાછાં હટીને ગિરિશ્રેષ્ઠ મહેન્દ્ર પર નિવાસ કર્યો !!!

કથા ——-શિવ દ્વારા દિવ્યાસ્ત્ર

મોટાં થયાં પછી પરશુરામે શિવઆરાધના કરી
એ નિયમનો પાલન કરીને એમને શિવને પ્રસન્ન કર્યાં.
ભગવાન શિવે એમને દૈત્યોનું હનન કરવાં માટે આજ્ઞા આપી ‘
પરશુરામે શત્રુઓ સાથે યુદ્ધ કર્યું અને એમનો વધ કર્યો !!
પરંતુ આ પ્રક્રીયામાં પરશુરામનું શરીર ક્ષત: વિક્ષત થઇ ગયું
શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે ——-
“શરીર પર જેટલાં પ્રહાર થયાં છે એનાથી પણ વધારે દેવદત્વ એમને પ્રાપ્ત થશે
એ માનવેતર થતાં જશે …….!!!!”
તદુપરાંત શિવે પરશુરામને અનેક દિવ્યાસ્ત્રો પ્રદાન કર્યાં
જેમાંથી એક એમને કર્ણ પર પ્રસન્ન થઈને દિવ્ય ધનુર્વેદ પ્રદાન કર્યું હતું !!!!

જમદગ્નિ ઋષીએ રેણુકાના ગર્ભ દ્વારા અનેક પુત્રો પ્રાપ્ત કર્યાં હતાં
એમાં સૌથી નાનાં પરશુરામ હતાં !!!!
એ દિવસોમાં હૈહયવંશનો અધિપતિ અર્જુન હતો
એમણે વિષ્ણુના અંશાવતાર દતાત્રેયના વરદાનથી એક હજાર ભુજાઓ પ્રાપ્ત કરી હતી.
એક વાર નર્મદામાં સ્નાન કરતાં મદોન્મત્ત હૈહયરાજે પોતની બાહોં વડે નદીનો વેગ રોકી દીધો હતો.
ફલત: એની ધારા ઉલટી વહેવા લાગી
જેનાથી રાવણની શિબિર પાણીમાં ડૂબી ગઈ
દશાનને અર્જુન પાસે જઈને એને ખરું -ખોટું સંભળાવ્યું તો એને રાવણને પકડીને કેદ કરી લીધો !!!!
પુલસ્યના કહેવાથી એને રાવણને મુક્ત કર્યો.

એક વાર એ વનમાં જમદગ્નિ પાસે પહોંચ્યો
જમદગ્નિ પાસે કામધેનું ગાય હતી
અત:એ અપરિમિત વૈભવનો ભોક્તા હતો !!!
આ જોઇને હૈહય્રાજે સાહસ્ત્રબાહુ અર્જુને કામધેનુનું અપહરણ કરી દીધું !!!
પરશુરામ ફરસી ઉઠાવી એનો પીછો કર્યો તથા યુધ્ધમાં એની સમસ્ત ભુજાઓ તથા માથું કાપી નાંખ્યું !!!!

તીર્થાટન ———

હૈહયરાજ અર્જુનનો પુત્ર નિરંતર બદલો લેવાની ફિરાકમાં જ હતો. એક દિવસ પુત્રોની અનુપસ્થિતિમાં એણે ઋષિ જમદગ્નિનો વધ કરી દીધો.
ભગવાન પરશુરામે એને મારીને માહિષ્મતિ નગરીમાં એમનાં કપાયેલાં માથાઓ વડે એક પર્વતનું નિર્માણ કર્યું !!!
વાસ્તવમાં પરશુરામ શ્રી વિષ્ણુના અંશાવતાર હતાં.
જેમણે ક્ષત્રિયોના નાશ માટે જ જન્મ લીધો હતો !!!!
એમણે પોતાના પિતામહના ધડને માથાં સાથે જોડી દઈને
યજન દ્વારા એમને સ્મૃતિરૂપ શરીરની પ્રાપ્તિ કરાવી દીધી !!!

કામધેનું માટે સંઘર્ષ ———

એક દિવસ સહસ્ત્રાબાહુ અર્જુન શિકાર માટે એક મોટા જંગલમાં ગયો હતો.
દૈવવશ એ જમદગ્નિ મુનિના આશ્રમ પર જઈ પહોંચ્યો !!!
પરમ તપસ્વી જમદગ્નિ મુનિના આશ્રમમાં કામધેનું રહેતી હતી
એનાં પ્રતાપથી એમને સેના ,મંત્રી અને વાહનોની સાથે હૈહયાધિપતિએ જોયું કે જમદગ્નિ મુનિનું ઐશ્વર્ય તો મારાંથી પણ વધારે છે.
એટલાંજ માટે એણે સ્વાગત -સત્કારનો કંઈપણ આદર નાં કરીને કામધેનુને જ લઇ જવાનું ઈચ્છ્યું.
એણે અભીમાનવશ જમદગ્નિ મુનિ પાસે કઈ માંગ્યું પણ નહીં
પોતાના સેવકોને આગના આપી કે કામધેનુને જ બળપૂર્વક છીનવી લો !!!!
એમની આજ્ઞાથી એમનાં સેવકો વાછરડા સાથે ભાંભરતી કામધેનુ ગાયનેબળપૂર્વક માહીશ્મતિ લઇ ગયાં.
જયારે એ બધાં જતાં રહ્યાં ત્યારે પરશુરામજી આશ્રમ પર આવ્યાં અને એની દુષ્ટતા નું વૃત્તાંત સંભાળીને ક્રોધથી લાલચોળ થઇ ગયાં.
એ એમનું પરશુ ઉઠાવીને ઢાલ અને ધનુષ્ય લઈને પ્રર્બળ વેગથી એમની પાછળ દોડ્યા.
જેવી રીતે કોઈનાથી ના દબાય એવા સિહ બનીને હાથી પર તૂટી પડે છે એમ જ !!!!!

સહ્સ્ર્બાહુ અર્જુન હજી પોતાના નગરમાં પ્રવેશ કરી જ રહ્યો હતો. ત્યાજ એને જોયું કે પરશુરામજી બહુજ તીવ્ર વેગે એની તરફ આગળ વધી રહ્યાં હતાં.
એમની એ વિલ્કાક્ષ્ણ ઝાંખી હતી
એ હાથમાં ધનુષ-બાણ લઈને અને પરશુ ઉઠાવીને શરીર પર કાળું મૃગચર્મ પહેરીને આવી રહ્યાં હતાં !!!!
અને એમની જટાઓ સૂર્યના કિરણોની જેમ ચમકી રહી હતી !!!!
એમને જોતાં જ અર્જુને ગદા, ખડગ, બાણ, હૃષ્ટિ, શતઘ્ની,અને શક્તિ આદિ આયુધોથી સુસજ્જિત એવં હાથી , ઘોડા,રથ, તથા પદાતિયોથી યુક્ત અત્યંત ભયંકર સત્તર અક્ષૌહીણી સેના મોકલી.
ભગવાન પરશુરામે ક્ષણભરમાં જ વાત-વાતમાં જ એકલાં જ એ મોટી સેનાને નષ્ટ કરી નાંખી.
ભગવાન પરશુરામની ગતિ મન અને વાયુની સમાન હતી !!!!
બસ ……. એ શત્રુસેનાને કાપતાં જ જતાં હતાં !!!!
જ્યાં જ્યાં એ પોતાની પર્શુનો પ્રહાર કરતાં ત્યાં ત્યાં સારથી અને વાહનોની સાથે મોટાં-મોટાં વીરોની બાહોંજાંઘો અને ખભા કાપી કાપીને પૃથ્વી પર નાંખતા હતાં !!!

સહસ્ત્રબાહુ નો વધ ————–

હૈહયાધિપતિ અર્જુને જોયું કે મારી સેનાના સૈનિક
એમનાં ધનુષ, ધજાઓ અને ઢાલ ભગવાન પરશુરામના પરશુ અને બાણોથી કપાઈ કપાઈને ખૂનથી લથપથ રણભૂમિમાં પડતાં જતાં હતાં.
ત્યારે એને બહુજ ક્રોધ આવ્યો ……..
અને એ સ્વયં લડવા આવી પહોંચ્યો એને એક જ સાથે પોતાની હજાર ભુજાઓમાં પાંચસો બાણો ચઢાવ્યા અને પરશુરામજી પર છોડ્યાં. પરંતુ પરશુરામજી તો સમસ્ત શસ્ત્રધારીઓ માં શિરોમણી નીકળ્યાં. એમણે તો પોતે એક જ ધનુષ પર છોડેલા બાણોથી એકસાથે બધાંને કાપી નાંખ્યા
હવે હૈહયાધિપતિ પોતાનાં હાથોથી પહાડ અને ઝાડો ઉખાડીને બહુ વેગથી યુદ્ધભૂમિમાં પરશુરામજી પર તૂટી પડ્યો !!!!
પરંતુ પરશુરામજીએ પોતાની તીક્ષ્ણ ધાર વાળાં પરશુ વડે સ્કુર્તીથી એની બધીજ ભુજાઓને કાપી નાંખી.
જયારે એની ભુજાઓ કપાઈ ગઈ ત્યારે એમને પહાડની ચોટી જેવું માથું ધડથી અલગ કરી નાંખ્યું !!!!
પિતાના મરી જવાથી એનાં દસ હજાર પુત્રો પણ ડરી જઈને ત્યાંથી ભાગી ગયાં !!!!

પ્રાયશ્ચિત ——–

પરીક્ષિતા વિપક્ષી વીરોને નાશક પરશુરામજી એ વાછરડા સાથે કામધેનું પાછી આપી દીધી.
કામધેનું બહુજ દુખી હતી ……..
પરશુરામજીએ એને પોતાના આશ્રમમાં લાવીને પિતાજીને સોંપી દીધી અને માહિષ્મતીમાં સહસ્ત્રબાહુએ તથા એમને પોતે જે કર્યું હતું. એ બધુજ એમને પિતાજી અને ભાઈઓને કહી સંભળાવ્યું
આ બધું સાંભળીને જમદગ્નિ મુનિએ કહ્યું
” હાય હાય પરશુરામ તમે બહુજ મોટું પાપ કર્યું છે …….
રામ …… રામ ……. તમેં મોટાં વીર છો
પરંતુ સર્વદેવ્મય નરદેવનો તમે વ્યર્થ જ વધ કર્યો છે.
બેટા આપણે બ્રાહ્મણ છીએ !!!!
ક્ષમાના પ્રભાવથી જ આપણે સંસારના પૂજનીય થયાં છીએ !!!! અરે એમ તો આપણે દાદા બ્રહ્માજી પણ ક્ષમાના બળ પર જ બ્રહ્મપદ પર્પત કરે છે
બ્રાહ્મણોની શોભા ક્ષમા દ્વારા જ સૂર્યની પ્રભાની જેમ ચમકી ઉઠે છે !!!!! સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ પણ ક્ષમાવાનો પર જ શીઘ્ર પ્રસન્ન થાય છે
દીકરા ……. સાર્વભૌમ રાજાનો વધ બ્રાહ્મણની હત્યા કરતાં પણ વધારે છે
જાઓ ………. ભગવાનનું સ્મરણ કરતાં કરતાં તીર્થોનું સેવન કરીને પોતાના પાપોને ધોઈ નાંખો !!!!

એકવાર ભગવાન શિવે એમની યુદ્ધ કુશળતાની પરીક્ષા કરવાં માટે પરશુરામને ચુનૌતી આપી અને એ બંને વચ્ચે એક ભયાનક દ્વંદ્વયુદ્ધ ૨૧ દિવસ સુધી ચાલ્યું હતું. જયારે પરશુરામ એક વાર ભગવાન શિવના ત્રિશુળના વારથી બચી તો ગયાં પણ એમણે શક્તિપૂર્વક પોતાનું દિવ્યાસ્ત્રપર્શુથી આક્રમણ કર્યું
પરશુરામના આ વારથી ભગવાન શિવના માથાં પર એક ઘા પડી ગયો !!!! ભગવાન શિવજી એમની યુધ્ધકુશલતાથી બહુજ પ્રસન્ન થયાં અને ભાવુકતાથી એમને ગળે લગાડી દીધાં. ભગવાન શિવે આ ઘાવને એક આભુશણની જેમ સુરક્ષિત કરી લીધો. જેનાથી ભગવાન શંકર એમનાં હજારો નામમાનું એક ખંડ-પરશુ પણ છે.

એક દિવસ પરશુરામ ભગવાન શંકરને મળવા કૈલાસ પર્વત પર ગયાં. જયારે એ દ્વાર પર આવ્યાં ત્યારે ભગવાન ગણેશે એમને એમ કહીને રોકી દીધાં એમની માતા પાર્વતીજીએ અંદર આવવાની કોઈને પણ મનાઈ ફરમાવી છે
પરશુરામે ગણેશજીને ધમકી આપી કે ——
” જો તેમને ભગવાન શિવને મળવાં નહીં જવા દેવાય તો મારી સાથે યુદ્ધ કરો ”
બંને વચ્ચે અડી થઇ ……
આ લડાઈમાં ભગવાન ગણેશજીનો ડાબો દંત તૂટી ગયો
જયારે પાર્વતીજીએ આ જોયું તો ક્રોધિત થઈને આદિશક્તિના રૂપમાં પરશુરામને કહ્યું કે
“એમણે એમનાં પુત્રને હાની પહોંચાડી છે
એટલે એ કયારેય ક્ષત્રિયના રક્તથી સંતુષ્ટ નહીં થાય ”
ગણેશજીએ પોતાની માતાને પરશુરામને ક્ષમા કરવાનું કહ્યું
અને એમાં ગણેશજી પોતાની માતાને પ્રસન્ન કરવામાં સફળ રહ્યાં !!!!
પરશુરામ બાળ ગણેશ પર બહુજ પ્રસન્ન થયાં અને એમનું દીવ્યાસ્ત્ર પરશુ એમને આપી દીધું !!!

પરશુરામની યુદ્ધ શક્તિઓ સંસારમાં સૌથી અલગ જ હતી. જેનાથી એમણે ૨૧ વાર કઈ કેટલાય અભિમાની અને ઘમંડી રાજાઓને હટાવીને એમને મારી નાંખ્યા હતાં !!! કેવળ ગણ્યાંગાંઠ્યા જ એમની સક્તિઓનો સામનો કરી શક્યાં હતાં.
જેમાં ભિષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણને એમણે યુધ્ધ કલા શીખવાડી હતી.
પરશુરામ અમર છે.
અને એવું માનવામાં આવે છે આજે પણ એ પૃથ્વી પર જીવિત છેહ અને પોતાનું યુદ્ધ કોશલ્ય કલ્કિ ને શીખવાડી રહ્યાં છે જે આ કળીયુગના અંતમાં પૃથ્વી પર અવતાર લેવાનાં છે. ભગવાન પરશુરામ એમનાં પછીના અવતાર પછી જ રુક્યા !!!
ભગવાન પરશુરામ રામને મળ્યાં ત્યારે એમને એ એહસાસ થયો કે યોધ્ધાઓ અને રાજાનેજ સમાપ્ત કરવાં આવશ્યક નથી અને ભગવાન રામને મળ્યાં પછી એમને મનુષ્ય જીવન છોડી દીધું અને પછી કયારેય પાછા નાં આવ્યાં !!!!

પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામા આવે છે. કહેવાય છે કે પરશુરામ અમર છે.

પુરાણો અને ભાગવતમાં પણ ભગવાન પરશુરામે ભગવાન શ્રીકૃષ્ણને એમ કહ્યું હતું કે ——–
“લીલાઓ બહુજ કરી લીધી હવે જે કાર્ય માટે પૃથ્વી પર આવ્યાં છો તે પૂર્ણ કરો ”
આનો ઉલ્લેખ છે

સાચાં વીર બ્રાહ્મણ આજ્ઞાંકિત, પિતૃભક્ત, માતૃભક્ત અને ભ્રાત્રુંભક્ત એવાં અનોખાં અને અદ્વિતીય ક્ષત્રિય રાજા ઓને જડમૂળમાંથી ઉખેડનાર ભગવાન પરશુરામને શત શત વંદન !!!!
——– જનમેજય અધ્વર્યુ..

error: Content is protected !!