સંત શ્રી મામૈદેવની આગમવાણી

મામૈદેવ ત્રિકાળ જ્ઞાની ગણાતા. એમને ખબર હતી કે શિક્ષિત પ્રજા તેમના ભાવિ કથનોનો ભરોસો નહી કરે એટલે તેમને ચેતવતા કહે છે :

‘શાયર છલે, આડ ફરે અરક ન ઉગમે પવન ન પછરે,
મેર છડીડીએ મંઝી, મામૈઇ પંડત રયે આવ જુઠોબોલા,
તો ધરમ છડી ડજીએ ધરાજો ભાર.’

અર્થાત :- હું અસત્ય ઉચ્ચારું તો દરિયો માઝા મૂકે, સૂર્ય આકાશમાં ઊગે નહી. સૂર્યમાળા વિખરાઇ જાય. પવન વહેતો બંધ થઇ જાય. આકાશગંગા પોતાના ધુ્રવતારાની આસપાસ ફરતી બંધ થઇ જાય. ગુરૃત્વાકર્ષણ ન રહેતા પૃથ્વી બહાર ફેંકાઇ જાય. તેમણે ભાખેલા આગમો આજલગી સાચાં પડતાં આવ્યા છે એટલે માનવા પડે એવા છે.

મામૈદેવે ભાખેલી આગમની મૂળ ભાષા એ કાળે કઇ હતી તે વિશે ચોક્કસપણે કહી શકાય એમ નથી. શ્રી માવજી મહેશ્વરી કહે છે મામૈદેવે તેમના મૃત્યુ પૂર્વે જે આગમ ભાંખ્યા હતા તે મામૈવાણીના નામે મુખામુખ પેઢી દર પેઢી સચવાયાં. હાલમાં માતંગ સમુદાય મામૈદેવ રચિત જે વાણી બોલે છે તે સિંધી મિશ્રિત કચ્છી બોલીમાં છે. જો કે એમાંય કેટલાય એવા ય શબ્દો આવે છે, જેનો અર્થ કચ્છી કે સિંધી ભાષામાંય મળતો નથી. આગમના કેટલાક સંકેતો ગૂઢ હોવાથી પૂરા સમજાતા પણ નથી. એનું રહસ્ય પામવા માટે ભજનવાણીના શાસ્ત્રો અને શબ્દકોશનો સહારો લેવો પડે.

આજથી સદીઓ પૂર્વે મામૈદેવે જે કહ્યું હતું તે વર્તમાન ભારતમાં બની ચૂક્યું છે અથવા બની રહ્યું છે. એને સમજવા માટે શ્રદ્ધા કે સંશોધન જ ખપમાં લાગી શકે. કચ્છી બોલી સમજવી અઘરી હોવાથી અહી મામૈદેવે ભાખેલા આગમોનો ભાવાનુવાદ રજૂ કરવાનો ઉપક્રમ રાખ્યો છે.

1.
ઢાલ પિનધી તરાર પિનધી પીનધી કટારી, જાચક પિનણ છડીંધા થીંધી લુરે જી વારી (આવનારા વખતમાં ઢાલ, તરવાર, કટારી કટાઇ જશે મતલબ શૂરવીરો ને સાચાબોલા માણસોનું સમાજમાં કોઇ સ્થાન નહી રહે. જે યાચક છે તે માગવાનું છોડી દેશે, અને ‘લૂર’ એટલે મીઠી વાણીથી બીજા સાથે છેતરપીંડી કરનાર માણસોનો રાફડો ફાટશે.)

૨.સમાજમાં એવા લોકો આગેવાની લેશે જેના દિલમાં નર્યું કપટ અને લુચ્ચાઇ ભર્યા હશે. સમાજમાં ઉજળા થઇને ફરતાં આ ખોટાડા લોકો એવા લાગે છે જાણે તળાવની પાળ પર બેઠેલા બગલાની કતાર ન બેઠી હોય સમાજમાં ટીલા- ટપકાં- ધારી ઢોંગી પંડિતો ફરતા થશે.

૩.માણસની દાનત ફરી જશે. ખોટા સોગન ખાઇને લોકોને છેતરવામાં આવશે જ્ઞાન નો લોપ થશે. નફ્ફટાઇ હદ બહારની આવશે. શેઠ વાણોતર બનશે અને ચાકર માલિક બની ને બેસશે.

૪.ઘરોઘર કંકાસ અને કજિયા વધશે. ભાઇ ભાઇ અને સગાંસંબંધીઓ વચ્ચે વેરઝેર વધશે. ભાઇબહેન, બાપદીકરા વચ્ચે અબોલા થશે. માણસોની મતિ મુંઝાઇ જશે. ન્યાય નહી મળે. સત્ય વચન અને નીતિમત્તાના ધોરણ નેવે મૂકાઇ જશે.

૫.

છોકરાઓ મા-બાપની સામા થશે. બાળકો વડીલોની કોઇ આમન્યા નહીં રાખે બાપ દીકરાથી ડરશે. સ્ત્રીપુરુષ વચ્ચે મર્યાદા નહીં રહે. પિતા પુત્રી ઉંપર નજર બગાડશે એવો કળિયુગ આવશે ભાઇ ભોજાઇના સંબંધોમાં પવિત્રતા ચાલી જશે. બાર બાર વર્ષની કન્યાઓ જાર કર્મથી ગર્ભવતી બનશે.

૬.

જેનો પુત્ર ગુણિયલ વિવેકી અને ડાહ્યો હશે એ નસીબદાર ગુણવાન અને સુશીલ પત્ની, ચારિત્ર્યવાન સંસ્કારી અને પત્નીવ્રતા પતિ તથા સદ્ગુણી સંતાનો મળવા હવે પછી દુર્લભ બનશે.

૭.

શેઠ શાહુકારોમાં કોઇ શાકાહારી નહી રહે. બ્રાહ્મણો વેદનો અભ્યાસ છોડી દઇ માંસાહાર કરશે. આમ થતા દંભી અને કપટી લોકો ટીલાટપકાં ધારણ કરી ધર્મ ગુરુ બની જશે અને ભોળી પ્રજાને લૂંટશે. સાધુઓ મઠાધિમતિ બની જશે. ધર્મનું જ્ઞાન થોથારૃપ બની જશે. તેમણે ઉપજાવી કાઢેલી વાતો જ્ઞાનમાં ગણાવા માંડશે. દાનવ જેવા લોકોને દાન મળતા થશે આશ્રિત લોકો માલિક બની બેસશે.

૮.

પૈસાથી બધુ જ ખરીદી શકાશે. નાણાંથીનારી પણ ખરીદ કરી શકાશે. બુદ્ધિ વગરના લોકોની ચોતરફ વાહવાહ થશે. વિદ્વાનોની સમાજમાં કોઇ કિંમત નહી રહે.

૯.

સોનામાં સડો પડશે (સોનું નકલી થશે.) રૃપામાં ભેળસેળ થશે. તાંબા પિત્તળની કોઇ કિંમત નહિ રહે. દૂધ ઘી ઘટી જશે. અન્નની તંગી થશે. તમામ ચીજો મોંઘીદાટ થઇ જશે.

૧૦

ઊકરડા ઉપર દીવા બળશે. મોસમ પર મેહ નહીં વરસે. ઋતુઓ બદલવા માંડશે. લોકો પોતાના માલિકની સામા થતાં જોવા મળશે.

૧૧

ખચ્ચરો દૂધ પીતાં થઇ જશે. તેજી ઘોડા ચોતરફ તગેડાતા રહેશે. મોટા માણસો પોતાનું ઘર ઝાલીને બેસી રહેશે, અને ખોટા માણસોની દંભી માણસોની સમાજમાં બોલબોલા થવા માંડશે.

૧૨

આ દુનિયામાં ભૂખ્યા લોકો ભડ થઇ જાશે. સિંહ-સાવઝ જેવા શક્તિશાળી પુરુષો સામાન્ય શિયાળિયાથી બીતાં થશે. બાપ સગા દીકરાથી ડરતો થાશે. એવા દિવસો હવે બહુ દૂર નથી.

૧૩

ધીરજવાન લોકો તમે ધીરજ ધરજો. હવે ગોલા લોકોને ઘી ગોળ થશે. તેઓ ઘીદૂધ ખાઇને મોજ કરશે. જેની મા મુળોને બાપ ગાજર હોય એવા માબાપના ઠેકાણા વગરના લોકો કૂળ વગરના લોકનું મહત્ત્વ સમાજમાં વધી જશે.

૧૪

અનાજ વાડીઓમાં જ પાકશે. દૂધનો દુકાળ પડશે. મહેલો મોંઘા થઇ જશે. રાજવી જાડેજાઓ માટે ખૂબ કપરા દિવસો આવશે.

૧૫

શાહુકારો શાહુકારપણું છોડી દેશે. શ્રીમંતો અને ધનવાનો સત્યનો પંથ છોડી દેશે. બ્રાહ્મણો વિદ્યા છોડી દેશે. રાજવીઓને વેઠ (નોકરી) કરવાનો વારો આવશે.

૧૬

રાજકુંવરો લાકડાં વેચશે. રાજા ઘાસ વેચશે. નાણાં સાટે ન્યાય વેચાશે, અને રાજા મહારાજાઓના મહેલો અને કિલ્લા હવા ખાતાં થઇ જશે. અર્થાત્ બિનઉપયોગી બની જશે.

૧૭

જંઘરિયા ડુંગરમાંથી પથરા કાઢીને ઘંટીઓ બનાવવામાં આવશે. હબા ડુંગરની ઝાડી કાપીને એના લાકડામાંથી કોલસા પાડવામાં આવશે. ત્રેજાર માતાને પાડાનો ભોગ અપાતો તે બંધ થશે. એ વખતે કચ્છના રાજવીની તલવાર છૂટી જશે. અર્થાત્ રાજગાદી ચાલી જશે.

૧૮

જોગીઓ જમીનદાર બનશે. હરિજન મેઘવાળ માલદાર બનશે. કચ્છના ગિરાસદારો ઘસાઇ જશે અને દેશમાં શાહુકારો સદાય દંડાતા રહેશે.

૧૯

જ્યાં ઈશ્વરનું સ્મરણ થતું હશે ત્યાં (મંદિરોમાં) કોઇ નહીં જાય. વિકાર અને ભોગવિલાસોમાં લોકો રચ્યાપચ્યા રહેશે. પૃથ્વી ઉપર પાપકર્મો વધી જશે. લોકો દાન, પુણ્ય અને સહનશીલતા ખોઇ બેસશે.

મામૈદેવ મધ્યકાળમાં થઇ ગયા હોવા છતાં એ સમયે તેમણે આવનારા યુગમાં ગ્લોબલ વૉર્મિંગ વિશે કહ્યું છે :

૨૦

આભ સળગી ઊઠશે. જમીન તપીને તાંબડી જેવી થઇ જશે. ત્યારે સૂરજનું તેજ જીરવાશે નહીં. ડુંગરાઓ ડગમગી જશે. પૃથ્વીના ટુકડે ટુકડા થઇ જશે. આવનારા વિશ્વયુધ્ધમાં  પરમાણુ બોમ્બ હોઇ શકે અથવા ગ્લોબલ વૉર્મિંગથી આવી ઊથલપાથલ થઇ શકે.

કુંવર વિક્નીંડા કાઠયું, રા`વીકનીડા ઘાહ,
માંમૈઇ ભણે મહેશ્વરીયા નાણે વિકંધા ન્યા.

[કુંવર (રાજકુમારો) લાકડાં વેંચશે, રા (રાજા) ઘાસ વેંચશે, મામૈદેવ કહે છે કે ન્યાય પણ નાણે વેંચાશે.]

ખચરડા ખીર ખાયન્ડા, તગડા ઈંડા તાજી,
વડા માડુ વેહી રોંધા, પૂછા ઇન્ધા પાજી.

[ખચ્ચર (ગદર્ભ)ને દૂધ ખાવા મળશે અને તે જાતવાન ઘોડાઓ (તાજી) કરતાં પણ તગડા થશે, મોટા માણસો બેસી રહેશે અને નાલાયક (પાજી) લોકો પાંચમાં પૂછાશે (તેમનાં માનપાન થશે).]

સને જીવેજી સરમ ન રોંધી, નરોન્ધી મનમે મેર,
ધન ખર્ચે ધર્મી ચવાંધા, કંધા વડેસે વેર.

[ગરીબ માણસની શરમ નહિ રહે, મનમાં દયા કે અનુકંપા (મેર) નહિ રહે, ધન ખર્ચનારો ધર્મી કહેવાશે (ગરીબોને ચૂસીને દાન કરનારા ધર્મી !) અને મોટાઓ સાથે વેરઝેર કરશે.]

મેડીયું પાડેને મારગ થીંદા, કબરમે થીંદા ઘર,
અસ્ત્રી વેહંધી તખત પે, જાળી લોદીન્ડે નર.

[મેડીયું, મકાનો પાડીને સડકો બનાવાશે, કબ્રસ્તાનોમાં ઘર થશે (ગરીબોને જ્ગ્યાના અભાવે સ્મશાન જેવી જગ્યાઓએ શરણ લેવાનો વારો આવશે) સ્ત્રીઓ રાજકાજ કરશે (તખત પર બિરાજમાન થશે) અને ભાયડાઓ તેને પંખા નાખશે (હવા નાખશે અર્થાત, તેની ગુલામી, જી હજૂરી કરશે !)]

શાહ છડીન્ધા શાહ પણું, સચ્ચ છડીન્ધા શેઠ,
ભામણ ભણન છડીન્ધા, જાડેજા કંધા વેઠ.

[શાહ, સજ્જન લોકો સજ્જનતા છોડી દેશે, શેઠ, વેપારી લોકો સાચ (સત્ય) છોડી દેશે, બ્રાહ્મણ, જ્ઞાની લોકો ભણવાનું, અભ્યાસ છોડી દેશે અને જાડેજા, રાજવી લોકો, વેઠ કરતા થશે.]

ભૂખ માડુ તે ભડ ધ્રીજંધા, શિયાળે ધ્રીજંધા સી,
પે ધીજંધા પુતરતે, હેડા અચીંધા ડી.

[નિર્માલ્ય (ભૂખ) માણસથી શુરવીર (ભડ) માણસ ધ્રુજશે (ડરશે), સિંહ, સાવજ શિયાળથી ધ્રુજશે (ડરશે), એવા દિવસો આવશે કે બાપ (પે) પોતાના દીકરાથી (પુતરતે) ડરશે.]

દીકરો વહુજો વાહો કન્ધો, માકે દીન્ધો ગાળ,
મામૈઇ ભણે મહેશ્વરીયા હેડો અચીન્ધો કાળ.

[દીકરો પોતાની વહુનું માનપાન કરશે પણ માતાને ગાળો કાઢશે (અપમાન કરશે) મામૈયો માતંગ કહે છે કે એવો કાળ (સમય) આવશે.]

સૂકજી વેંધી સાબરમતી, કાન્કરીયે થીન્ધો ગાહ,
મામૈઈ ભણે મહેશ્વરીયા ખીર વિકણીદા રાહ.

[સાબરમતી સૂકાય જાશે અને કાંકરીયા તળાવમાં ગાર (માટી) ભરાશે, મામૈયો માતંગ કહે છે કે રાહ (રા, રાજા) દૂધ વેંચતો (ગોવાળ કે પશુપાલક) થઈ જશે. (સાબરમતી નદીમાં જ્યાં ત્યાં બંધ બંધાઈ ગયા એટલે સાબરમતીમાં બારેમાસ વહેતું પાણી હવે જોવા ના મળે . કાંકરીયા તળાવ એક વખત ખાલી કરાવી નાખ્યું અને એમાં ઘઉં નું વાવેતર કરાવેલું.)]

માંનીયું થીન્દીયું મઠ જી. તેલજા થીંદા ઘી,
મામૈઇ ભણે મહેશ્વરીયા હેડા અચીંધા ડી.

[અનાજની અછત થવાથી લોકો મઠનાં રોટલા (માની) કરશે અને તેલનું ઘી બનશે (આજે વેજીટેબલ ઘી થી પ્રસિદ્ધ છે તે ). મામૈયો માતંગ કહે છે કે એવા દીવસો આવશે.]

ધરમ જુગા જોગ વધે, બુધ સે ઘટે પાપ,
જેતે ગોએડ ગજા કરે, ઓતે કી સંચરે સાપ.

શેણી સકેલો કરશે, નરમલ થાશે નીર,
અંજાર મંજ જાત્રુ થાશે, ભણે વઠો મામૈઈ પંડતવીર.

સમૈનગરમે સાઓ થીંધો, સિંઘ મીંજા લગધો ડમ,
મામૈ ભણે માયશ્રીયા, ઉજામધો નં આડજો જમ.

મકકે ધોડા બઘઘા, તૂરકી કેંધો તાણ,મામૈભણે માયશ્રીયા, વરતઘી અસરેજી આણ.

જાત જો પઠાણ નાં તાલભદીન, હિંદુ મીંજા મુસલમાન કેંધો,
મામૈભણે માયશ્રીયા, નોં ખંડ પૃથ્વી તે ડંકો ડીંધો.

રુમસૂમ મીજા ચાંસી ચડઘી, મડચંદ કેંધો હાજ,મામૈભણે માયશ્રીયા, તેર થીંધો પાંજો રાજ.

મિંજઈ મોઘલ જાગઘા, મિજઈ મિંજ કેંઘા રાજ,મામૈભણે માયશ્રીયા, પૃથ્વી થીંઘી મીરછેંજો ખાજ.

બો રાજા રાજ કેંઘા, હિકડે તખતેતે વઈ,મામૈભણે માયશ્રીયા, ડીંઘા ગામ મીરછેં કે દઈ.

કાબુલ, કંદાર, તૂરક, તમાચી, ચારોએ ચડઘા મીર,ગોઈયું -મઈયું -માલ મરઘા, નાલે નં રોંધો ખીર.

ઢીંગલે ઢીંગલે ઘરમ વિકાબો, નાણે વિકાબી નારી,અનન પાણી તોલે વિકાબા, નમોસા નાં ઘારી.

ભૂસકા થીંઘા હુલ હુલકારી, ભારી થીંધો ભાંગાણ,ઝાંખરીઆ પખર પેરીંઘા, ઈ આગમજા એંઘાણ.

અભ તપંદો ભુ તામણી, સુરજ કેંદો ઠંકા,ડુંગર મેળે ડગમગદા, ભોણજા થિદાં ભૂંકા.

અંત ઘણા મેઘ વસઘા, ઘરીયા કેંધો ઘઘકાર,બારમતીકે જુકો ડીઠે, તેંજો વિંગો નં થીંધો વાર.

અંત ઘણા મેઘ વસંદા, પાણી મૂકી વેંદા પાતાર,મામૈ ભણે માયશ્રીયા, દિલજા પોંદા દુકાર.

છાસ મથે મખણ નં રોંધો, દરીયા તે નં હલઘા વહાણ,સોરે કરાએ સૂરજ ઉંગધો, પુરા વેદ જા પરમાણ.

પોથા થિંદા થોથા, કંથાયદા મન ઘડંત જ્ઞાન,મામૈભણે માયશ્રીયા, દાનવ ગનંદા દાન.

જર ઘટધો, જમીન ઘટઘી, ઘટી વેંઘા અન્નપાણી,માન ઘટધો મુલક ઘટધો, નં રોંઘા રાજા રાણી.

પૃથ્વી આય પરમારેજી, પૃથ્વીતે મોર વડા પરમાર,હિકડેજો આબુ બેસણું, બેજી ઉજેણીનગરજી ઘાર.

મુરુજા ડેલા મારવે, તેં ભેરા પખર વારા પરમાર,મામૈ ભણે માયશ્રીયા, બેયા ઝાંખરીઆ મેઘવાર.

છેણા ચુંઢીઘા ક્ષત્રી, ગોલે વટે ગરાસ,મામૈભણે માયશ્રીયા, બ્રાહમણ ભરખીંઘા માસ.

ભાઘર ભવાઈઆ ભૂંકઘા, નાતેમે ન રોંઘા નિયા,મામૈ ચે હયા હસીમાંજા લોપાજી વેંઘા લ્યા.

સુરો પોંધો સોનમે, રુપે નં રોઘી રેખ,મામૈ ભણે માયશ્રીઆ, ત્રામે પીતર કે સેક.

છત વરા અછતીયા થિંઘા, પોંઘા ઘિલજા ડુકાર,મામૈભણે માયશ્રીયા, માડુ ખેંઘા ઝાડ.

માતંગજી પરત નં પારીંઘા, સીંભરીયેસે કેંઘા તંત,મામૈભણે મૂરવાજી, આશાપુરા ખણી ગિનઘી હથ.

એડા ડી અચિંઘા, શિયાળેનું ઘજઘા સિંહ,પે ઘજધો પૂતરનું, નોનું સસ સંકઘી.

પાગું બઘી ઉથીંઘા, જી પારીયે તે વે બગ,ટીલા ટપકા કઢી, ગામ મે ધોઘા ગુરુ ઘુમદા.

પત નં રોંઘી મૂરવા, કચ્છજો છેલ્લો રા’ખેંગાર,મેઘ થિંધો રા’, તેની મડઈ થીંઘી મસાણ.

સરવા થીંધો સેર, ઉતે હૂર કેંઘા હાલાણ,મામૈભણે મૂરવાજી, કચ્છ કે થીંઘી હાણ.

વંગી વર કેંઘી, નૂરઈ કેંઘી નેસ,મામૈ ભણે માયશ્રીઆ, નૌં વસધો દેશ.

છારી છાવરજે વિચમે, કૈ થ વેંઘા કાજ,મામૈ ભણે માયશ્રીઆ, અવચળ થીંધો રાજ.

ચૂંચ અખા ચીના, ગોયેડ મુખા, સુપડ કના વસઘા,મામૈભણે માયશ્રીયા, જુકો ચેયોં સે એ ડીસઘા.

વંશ રામજો ને વંશ રાવણજો, ઈ બોયે બરસે વિડઘા,પેરાજજો દળ અચિંધો ચોંઘણા, અચી ચોક મે મીલઘા.

રૂક દિલ્લી, રુક ખૂરેશાણ, શૂરા વેંઘા હણમમ શાણ,દૈત્યેં મરઘા ઉછરઘી ઘરા, મોઘલ કેંઘા તાણોતાણ.

કાશમીર ડુગરનું કેંકાણ ચડઘી, ઘરઘાકપાં અગીયા થીંઘી,શિર વાઘેલેજો છણધો, તેની જામ જાડેજા રાજ કેંધો.

જણ વઘધો કીડા નિપબા, ઘરા વઘઘા ભારી,મામૈ ભણે માયશ્રીઆ, બારે વરેજી ફળબી નારી.

ભાજત દેશમે ભીડત કચ્છ, નગરેમે નં રોધો થીરથાપ,એકો ડીંધો આણ મુલતાન, બેયોં ડીંધો બેડે ગામ.ત્રેયોં ડીંધો રામવાડે, ચોથૉ ડીંધો ગામવાડે,મામૈ ભણે માયશ્રીઆ, કચ્છ ખેતર અય મોંગલેંકે ભારી.

ત્રેઇંજાર સરસી ભોણ, માતંગ વાવઈ ડનણજી ચીર,કરકી પાતર જામ મૂરવેકે માતંગ થાપેં કચ્છજો મીર.

મકડે હોવાસે માનવી થેયા, વાંચા ડીનેં વેં રામ,ઉગે ઉલથજે વિચમે, એતરો મકડ આંજો ગામ.

કચ્છ કરમજો કોટ કેંયોં, ઘરતી સઝી રણજી કંઘી,મામૈ ભણે માયશ્રીઆ, નં લોપાબી કચ્છજી લી.

ઘુણ અચીંઘી ઘમરેકે, કૈક ખડખડી વેંઘા ખંઢ,લી લુપીંઘા માતંગજી, કચ્છમે પીંજા થિંઘા પાખંઢ.

કર કમોરા કુડા થીંઘા, નાગર નીંયા કેંઘા,સત શૂરાતણ છડે વેંઘા, સઈઆ સામાં થીંઘા.

ઢાલ પિનઘી, તરાર પિનઘી, પિનઘી કટારી,જાચક મંગણ છડે ડિંઘા, થીંઘી લુરેજી વારી.

લુર પખડઘા લોકમે, ખોટી લખીંઘા વઈ,કલમ સોપાંબી કાંગે કે, બોલી નિકરઘી બઈ.

દયાહિણી થીંઘી પૃથ્વી, પાણી હિણાં થીંઘા જ્ઞાન,વેદ સતશાસ્ત્ર સાર હિણું, મુખ શાસ્ત્રમેં સંચરઘા.

અણઘારઈ ઉતરઘી, જીવ જીવજો લેખો ગિનધો ઘાર,મામૈભણે માયશીયા, મા નું વિછુડીધો બાર.

એડી વેરા વરતઘી, લખે ગાઉએ તે સુઝધો ઘા,મામૈભણે માયશીયા, માડુએંજો હરુરીએ વેંધો સા.

ખીર ખૂટે, ઘે ગટે, અનન કેંધો ઓલાર,મામૈભણે માયશ્રીયા, પાણી જીભ ચટા પૈયાર.

ભઘરે, અશુ શેરી કઢી, તોય પો વસઘા મીં,મામૈભણે માયશ્રીયા, થીંધો ચાંતો તી.

વંઘી વર કેંઘી, નૂરઈ કેંઘી નેસ,મામૈભણે માયશ્રીયા, નૌ વસધો દેશ.

શા છડીદા શા પણુ, સચ્ચ છડીદા શેઠ,બ્રાહ્મણ વેદ છડીદા, જાડેજા કેંદા વેઠ.

ખચરડા ખિર પિંધા, તગડાબા તાજી,ભુખ માંડુ ભડ થિંદા, પૂછાબા પાજી.

લસ થીંદી ઘોડેજી ઘસ, કણ કણ થીંદી સિંધ,મામૈભણે માયશ્રીયા, કાબુલ-કંદાર ડીસબા દંધઆઠે ઓલો આવશે, કરશે હિન્દમે રાજ,મામૈ ચ્યેં મે જોયા તા, પૂથ્વી સયે થઈ મલેચ્છજો ખાજ.

ઉરદ ખુરદ તુરક તમાચી, ચારોય ચડશે મીર,ગોયુ મયુ માલ મરધા નાલે ન રોંધો ખીર.

વા વાંચણીયે વડર વેંઘા, અંદર લગંધી લાર,ઘૂળજા મી વસઘા તેની, પાણી વેંઘા પાતાર.

ડુલી ઘણકાર થિંધો, ડોયેલા ડીસઘા ડી,મામૈભણે માયશ્રીયા, મુંદે ન વસઘા મી.

ભઘરે, અશુ શેરી કઢી, ત્યાં પો વસઘા મી,મામૈ ભણે માયશ્રીયા, લોપાંદી વેંદી લી.

ઘરોઘર ભાય ઘૂખઘી, મનખેજી બુઘી ફિરઘી,મામૈભણે માયશ્રીયા, નાત મેં ન રોંધા ન્યા.

ગત વિનમે સુણ ગુસામી, મુળુરાજા કે કતરી વાર,વાર કર ગત જા ગુસામી, મરછે લોપી દેશે, કર કરણીજા ગુરુનકલંક પૃથ્વીજો રા’, ઉજણેમે હોયસે અવતાર,ભણે ભાગ આરાઘીયોં આજ, જુગ મંડપ થીંદો મુળુજે રાજ.

રા રાઠોડજો દોહિત્રો, ખૂન કરશે હાથ,મુળુરાજા વઠો માળવે, હોયસે એક જ આણ.

માતા સોમલખી સોરંગ બાપ, ઉજેણીમે અવતરશે કાન,સ્વામી કરીંદો આડતે સમઘરા, મુળુ માંડવા ગઢજો રા’.એકાસીએ એકલકાર, ધોમ ધોમ ઘરા વરતશે,મામૈઈ પંડિત કિયોં પરગાસ, તેની અણગણીયા વા વરજા.

નવાણુંએ નવી પ્રજા, ધોમ ધોમ ઘણી જાગશે,દીઠા તણા અદીઠ, તેની અમર હલાણુ હોયશે.

સીલડીએ સંગ હોયશે, માયસરીઆ દેશે માન,છત્રી કરોડકે પત્રી ચડાવશે, જુગ પંચોરથ પરમાણ.

સવરો મંડપ માંડશે, પંડત વઠો મંડપ માય,મામૈઈ ભણે માયસરીઆ, છત્રી કોડીયું લગીયું જે જે પાય.

હકડા સારણ ઠઠજા, બીયા શેણીજા સઘાર,જુગ પંચોરથમે થીંદો પાગડો, તડે થીંદા ખંડે ખંડેજા રાજ.

સોમવાર ને સોમાગહળ, મરછે કે મુળુરાજા મારશે,એકવીસ દિ હકડે હથે વિડઘા, ઘરતી અંબર બોય થર થરંદા.
જેતરેમે ત્રેઇંજરજો પડછાઈઓપે, એતરે મે માયશ્રીઆ,જાડેજા આંકે કરમકોટજી અય વાડ.

•હાલે ચાલે સુખ નં હુંધો, રાવણવંશીરાજ, પાણઈ મરઘા પાણમે, દંયા નં હુંઘી દાજ,
મામૈ ભણે માયશ્રીઆ, જુગજુરધો આદિતવારજો.

•પંચોરથ જુગજો ભર, માતંગજા વચન આડતે સવાયા ફરે, માંઢવા ગઢમે થીંદો મુળુજો અવતાર.

•સોજ સ્વામી કરીંદો સીમરીયેજી સાર, છત્રી કોડી ઉભી હરકે વઘાય, તખત આવીયોં ત્રી ભોણેજો રા’.

•ઘારજો ભણી ઉભો થીયોં, શરબંઘી જટાઘાર,
મુળુ કે તલક ડઈ વઘાયોં, સુરે તણુ કિયે સણઘાર,

વિજળીખનુ માઇસરીયે કે જુડંદો, જુગ પંચોરથ માય,
મામૈભણે માઇસરીયા, તેની સતીયે કે હુંદો લુણંગદેવજો આઘાર.

•ચોરાસીયે ચકચાર, ચારોય દસુ ચુરચુરશે તેની દશે દિશાએ, ખંડ ખડભડશ.

•શાયર છલે, આડ ફરે, અરક ન ઉગમે, પવન ન પછરે, મેર છડી ડીયે મંઝી,મામૈ પંડત ચ્ચે, આવ જુઠોબોલા, તો ઘરમ છડી ડીયે ઘરાજો ભાર.

•ગામે ગામ ફળ વાવશે, ઘઉમેં સુગંઘ હર કરશે અઢારભાર વનસ્પતી વામન વેંચી ફળ દેવેકે દેશે,

ઉનનઈ તથ ને છત્રીસ નક્ષત્ર, તેજા લોકશે લેખા લેશે.

•ઘરઘર વાડી ઘરઘર વોણ, ઘરઘર જાય જાવંત્રી આંગણ વૃક્ષ ફરોર ફુલંદી,

ચંપો ડમરો ફોફરજી પત્રી, ઈ આગમજી કરણી લુણંગદેવ કથઈ સુણો સઘળી ગતજા લોક માતંગજે મેળે સે જીવ મલઘા, જે કોઈ પારીંદા છત્રીસ દોક.

•સોનેમે સુગંઘ થાયશે, જાવત્રીજી સુગંઘ નવ જાશે,

પગટ જુગ પચોરથ, તેંજા માતંગ દેવ કંથન કીયોં. નાગરવેલમે ફળ હોયશે, તેંજા માતંગદેવ કથન કીયા.

મામૈદેવના આગમો પ્રમાણે હવેના વર્ષો ભારે કપરા છે. સંઘર્ષકાળ પછી ઈશ્વરનો ૧૦૧મો અવતાર થતાં સુવર્ણકાળ આવશે. એ પહેલા આવનારા વર્ષોમાં (વિશ્વયુધ્ધ થાય તો) અડધા લોકો યુધ્ધથી મરશે અને અડધા લોકો રોગથી મરશે. એમાંથી બચવા માટે મામૈદેવે નીતિમાન જીવન જીવવા માટે ૩૬ જેટલા નિયમોની સમજ માતંગ વેરશી રામજીએ તેમના ગ્રંથમાં આ મુજબ આપી છે.

સવારે વહેલા ઊઠી શૌચસ્નાન કરી ઈશ્વરનું સ્મરણ કરો. માતા-પિતા, અતિથિ, ગુરુ અને વડીલોને માન આપો. ઈન્દ્રિયોને વશમાં રાખી છળ, કપટ, ચોરી અને બેઇમાનીથી દૂર રહો. માતાપિતા, સગાંવહાલાં અને પરિવારને પ્રેમ કરો. કોઇનું અપમાન, તિરસ્કાર કે અહિત ન કરો. વેરભાવના તજો. આળસ છોડો. મન, વચન કર્મથી પવિત્ર રહી બધી ફરજો પૂરી કરો.

વિલાસિતાથી બચી સ્વાવલંબી બનો. અન્યને ભારરૃપ ન બનો. બેકાર ના બેસો. કાર્યશીલ રહો. નિંદાચૂગલીનો ત્યાગ કરો. જુગારથી દૂર રહો. દરેક જીવ પ્રત્યે કરુણા રાખો. પરસ્ત્રીને માતા સમાન માનો. ધર્મનો અને રાષ્ટ્રનો દ્રોહ ન કરો. વ્યભિચારી અને હિંસક ન બનો. જીવનનું લક્ષ્ય ઈશ્વરપ્રાપ્તિનું રાખી સઘળાં કાર્યો એને સમર્પિત કરો. આમ કરશો તો તમે મહાસંગ્રામમાંથી ઊગરી જશો.

મામૈદેવનું સમાધિસ્થળ સિંધ પાકિસ્તાનમાં છે. ભારતના મહેશ્વરીઓ માટે પાકિસ્તાન જવાનું શક્ય ન હોવાથી અંજારમાં આવેલાં મામૈદેવનાં પગલાંને યાત્રાધામ ગણે છે. મામૈદેવની વાણી હસ્તલિખિત ગ્રંથોરૃપે મહેશ્વરી પંથના માતંગ ગુરુઓ અને તેમના વંશજો પાસે સચવાયેલી છે. એમાં સંશોધન માટેનો  બહુ મોટો અવકાશ રહેલો છે.. .

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!